SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * પરિચ્છેદ શિષ્યશાર્યોપદેશ અધિકાર આમ થવાથીજ સર્વ વ્યવસ્થિત સંસ્થાઓ મરણ પામી છે. કાર્ય કરે બસ કાર્ય કરે. કારણ કે બીજાના ભલા માટે કાર્ય કરવું એજ જીવનું રહસ્ય છે-જીવન છે. હું માત્ર એજ માગું છું કે દંભ, લુચ્ચાઈ, પ્રપંચ હેવાં ન જોઈએ. મેં હમેશાં પ્રભુપર વિશ્વાસ રાખ્યા છે, સૂર્યના પ્રકાશ સમાન વિશાલ જવલંત સત્યપરજ હમેશાં આધાર રાખે છે, નામ, કીર્તિ મેળવવાને અરે! બીજાનું ભલું કરવા માટે પણ, તે મેળવવાને હું જેસ્યુટીસમ જે દંભ કરી મારા હૃદય ઉપર કલંક લઈ મરવા માગતું નથી. અસદાચરણનો એક શ્વાસ પણ, ખરાબ કાવાદાવાનું કલંક પણ હોવું ન જોઈએ. બહારનો દેખાવ, આડબર, દંભ, ડેળ, એ સર્વ મિથ્યા છે, તેમાંનું કંઈ પણ ખુણામાં રહીને કરવાનું નથી. ગુરૂદેવ ઉપર ખાસ પ્રિયતા બતાવવાની નથી, અને કઈ ગુરૂએ તે માટે કંઈ ઈચ્છા રાખવાની નથી. મારા બહાદુર પુત્ર! તમારે આગળ ધસવાનું છે. ધન મળે અગર ન મળે, મનુષે મળે, યા ન મળે પણ આગળ ધસે. તમારામાં પ્રેમ છે, ઈશ્વર છે! તમે સામા શત્રુમાં ભંગાણ પાડો ત્યાં સુધી આગળ વધે અને ધસે. પછી તમારી સામે કઈ થઈ શકનાર નથી. તમારૂ નામ કેઈ લઈ શકનાર નથી–થીએસેફીનાં માસિક કહે છે કે, મારા વિજયને માર્ગ બધે તેઓએ કરી આપ્યું; એ કેટલું બધું બેહુદું-અસત્ય તદૃન મિથ્યાવચન છે–સંભાળ રાખે, અને જે અસત્ય છે તે સર્વથી ચેતતા રહે. સત્યને વળગી રહે અને આપણે ધીમે ધીમે પણ સચોટ પણે વિજય પામીશું. હું કદિ હાજ નહિ એમ ધારી કાર્ય કર્યા કરો. તમારામાંના દરેક ઉપર આખું કાર્ય રહેલું છે એમ ધારી કાર્ય કર્યા કરે. કર્યા કરે. પચાશ શાકે તમારા પ્રત્યે દૃષ્ટિ ફેકે છે, હિંદના ભવિષ્યને તમારા પરજ આધાર છે, તે કાર્ય આગળ ચલાવ્યું જાઓ. કયારે આવી શકીશ તે હું પોતે જાણતા નથી. હિંદમાં એવું તે હિંદીઓ મને બહુ બહુ કરે તે ખૂબ વખાણે, પણ કોઈ કાર્ય માટે તેઓ એક પાઈ પણ આપવાના નથી. આમ પોતેજ ભીખારીઓ બન્યા છે, તે તેઓ કેની પાસેથી શું મેળવી શકશે? તેથીજ તે એ છેલ્લાં બે હજાર વર્ષ કે તેથી વધારે વર્ષ થયાં લોકહિત કરવાની શક્તિ ઈ છે, હમણાંજ તેઓ પ્રજાના, સમાજના, વિચાર કરતાં શીખ્યા છે, તેથી મારે તેમને દેષ આપવાની જરૂર નથી વધુ હવે પછી. પુસ્તકે અને તેમાની “થી અરીઓ થી શું સરવાનું છે? લકેના હૃદયને જાગૃત કરવાના ઉચ્ચમાં ઉચ્ચ અને એકજ માર્ગ, આપણું શુદ્ધ જીવન છે; તે જ વ્યક્તિગત આકર્ષક લેહચુંબક છે...પરમાત્મા દિન પ્રતિદિન મને ઉડામાં ઉડું અને તેથી હતું દર્શન કરાવે છે. કાર્ય કરે, બસ કાર્ય કર્યા કરો.....મૂર્ખાઈ ભરેલ વાતે તદ્દન છોડી ઘે; પ્રભુની જ વાત કરે. કપટ અને છળની વાત કરવામાં વખત ગાળવા જેટલી આ જીદગી નથી, તે બહુ ટુંકી છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy