SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ગ્રાફુ સરળતા-અધિકાર. રા જેમ ચ`દનના શરીરને કાપીને ઘસવામાં આવે છે, તાપણુ તે પેાતાની સુગંધ છેડતું નથી, શેલડીના સાંઠાને ય ંત્રમાં પીલવામાં આવે છે, તે પણ તે પોતાની મધુરતા છેડતા નથી, અને સુવર્ણ ને કાપી ટીપી અને તપાવવામાં આવે છે, તે પણ તે પેાતાની કાંતિથી ચલિત થતું નથી, તેમ સજ્જન પુરૂષ દુનાથી પીડિત થાય તેપણુ તે અન્યથા થતા નથી, એટલે પેાતાની સજ્જનતા તાડતા નથી. ૧૯ .. વિકારી પદાર્થોને ખાનારા પુરૂષા જે ઇંદ્રિયના નિગ્રહ કરી શકે તે પછી સમુદ્રમાં વિધ્યાચલ પર્વત તરે, એ વાત સત્ય ગણાય. शार्दूलविक्रीडित विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशनाः dsपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्व मोहं गताः । शाल्यन्नं सघृतं पयोदधियुतं ये भुञ्जते मानवाः, तेषामिन्द्रयनिग्रहो यदि भवेद्विन्ध्यस्तरेत्सागरम् ॥ २० ॥ વિશ્વામિત્ર અને પારાશર વગેરે મુનિએ પવન, પાણી અને પાંદડા ખાઇને રહેનારા હતા. તા પશુ સ્ત્રીના સુંદર મુખ કમળને જોઇને મેહ પામી ગયા હતા, તે પછી જે મનુષ્યે ઘી, દુધ અને દહીં સાથે ઉંચી જાતનું અન્ન ખાનારા છે, તેવા જો ઈદ્રિાને! નિગ્રહ કરી શકે તે પછી વિધ્યાચલ પર્વત સમુદ્ર ઉપર તરે એ વાત સ’ભવે. ૨૦ ઉપરના શ્લેાકના ઉત્તર આપતાં કવિ કહે છે કે, ઇંદ્રિય નિગ્રહ કરવાની શક્તિ આહારને આધીન નથી પણ મનને આધીન છે, તેનું દૃષ્ટાંત. वसन्ततिलका. सिंहो बली द्विरदशोणितमांसभोजी, सम्वत्सरेण कुरुते रतिमेकवारम् । पारावतः खरशिला कणभक्षणेन, कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः ॥ २१ ॥ જે સિંહુ ખલવાન્ હાથીઓના રૂધિર અને માંસને ખાનારા છે, તે વર્ષમાં એક વાર વિષય સેાગ કરે છે. અને જે પારેવા પક્ષી રેતીના કંઠારકણુનું ભક્ષણ કરે છે, તે પ્રતિવિસ કામી થાય છે. કહેા તેનું શું કારણ ?૨૧ ઉપરના શ્લેાકનું જ સમન કરતાં કહે છે કે,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy