SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^^^^. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય જે દયાળુ થઈને પ્રાણીઓને સર્વ લબ્ધિને માટે સદા નિયમ, તપ અને ત્રને ઉપદેશ આપે છે અને જેઓ ચતુર્વિધ સંઘને વિષે સદા વિનીત થઈ રહે છે. તેવા સાધુઓ દુતિ–પાપ રૂપી વનને બાળી નાંખે છે. ૨૩ શુભા શુભ કર્મ કરનાર, કરાવનાર, અનુદનાર અને સહાય કરનાર એ સર્વને સમાન ફળ થાય છે. વાં . कर्तुस्तथा कारयितुः परेण, तुष्टेन चित्तेन तथानुमन्तुः। साहाय्यकर्तुश्च शुभाशुभेषु, तुल्यं फलं तत्त्वविदो वदन्ति ॥२४॥ પિતે કરનાર બીજા પાસે કરાવનાર, પ્રસન્ન ચિત્તે અનુમોદના કરનાર અને શુભ-અશુભમાં સહાય કરનાર એ સર્વને સરખું ફળ થાય છે. એમ તત્ત્વવેત્તા કહ છે. ૨૪ આ પ્રમાણે કહી ગુરૂ સ્વરૂપ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે, आत्मज्ञान-अधिकार, આત્મજ્ઞાન સંપાદન કરવામાટે જેમણે આત્માને સાક્ષાત્કાર કરેલું હોય તેવા સદગુરૂની આવશ્યક્તા છે તે જ્યારે અધિકારી પુરૂષને ઉપદેશ કરે છે ત્યારે તે અને ધિકારીને આત્માનું વાસ્તવ સ્વરૂપ સમજાય છે, ગુરૂના ઉપદેશથી જેમને આમ સાક્ષાત્કાર નથી થયે એવા અજ્ઞાની પુરૂષે જે કદાપિ બહુ કાળ સુધી કઈ શિષ્યને આત્મોપદેશ કરે છે તે પણ તેને જ્ઞાન થતું નથી. તેમજ નાના પ્રકારના તર્કોવડે ચિંતન કરવાથી પણ માણસને આત્મજ્ઞાન થતું નથી. પરંતુ ખરેખર જેમને આ ત્મજ્ઞાનને અનુભવ થયો હોય તેવા સદ્દગુરૂ દ્વારાજ્ઞાનનો ઉપદેશ થાય છે તે જ આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ અત્રેથી આપણે અમેરીકામાં આવેલું ચુક કયાં આવ્યું છે તે સંબંધમાં ભૂગોળમાં વાંચીએ તેમજ કુલ માસ્તર મારફત જાણીએ છીએ તે ઉપરથી આપણને ન્યુયોર્કમાં આવેલી વસ્તી, તેમજ વણકે ત્યાંના માણસેની રીતભાત વિગેરેનું જેવું ભાન થાય તેના કરતાં એક માણસ ન્યુયોર્ક જઈ ત્યાં અનુભવ મેળવી ૪ ભાગ્યોદય અંક ૮ મે સને ૧૯૧૩ અકટેમ્બર
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy