________________
શ્રી વિજયદેવસૂરિનો એક કાવ્યાંશઃ કવિશ્રી વિજયદેવસૂરિ કહે છે?
સુરતની પરે દોહિલો જી, લાધી નરભવ સાર, આલસ, મૂઢ, મહાજો રે તુમ કરજો ધર્મ વિચાર રે.
ચેતો રે ચેતો પ્રાણીયા.... અરિહંત દેવને આદરો રે ગુરુ બિરુઆ શ્રીરાધ ધરમ કેવલીનો ભાખીયો રે, સમકિત સુરત લાધ. તહત્તિ કરી તમે સડ્રહો છે. જે ભાખ્યો જગનાથ. પાંચે આસવ પરિહરી રે જિમ લહો શિવપુર સાથ... અલ્પ દિવસનો પ્રાણુણો રે, સહુ કો ઇણ સંસાર, ઈક દિન ઊઠી જવેગો રે. કુણ જાણે કેવો અવતાર વ્યાધિ જરા જ્યાં લગે નહીં રે ત્યાં લગે ધર્મ સંભાલ,
મેઘ ધનાધન વરસતા રે કોણ સમરથ બાંધવા પાલ હેમૂઢ જીવ! કલ્પવૃક્ષ જેવું દુર્લભ મનુષ્ય જીવન તેં મેળવ્યું છે. હવે આળસ કરીને આ મનુષ્ય-જન્મ હારી ન જા. ધર્મધ્યાન, ધર્મચિંતન કરતો રહે. સદેવ સાવધ રહે. અરિહંત દેવને, સાધુગુરુને અને કેવલીભાષિત ધર્મનો આદર કર. સુરતરુ સમાન સમકિતની પ્રાપ્તિ કર. સદ્ગહણા કર. પાંચ આસવો ત્યજી દે અને મોક્ષમાર્ગ ઉપર ચાલતો રહે.
આ સંસારમાં સર્વ જીવો થોડાક દિવસના મહેમાન છે - એક દિવસ જવું જ પડશે. શું ખબર નવો જન્મ કેવો મળશે? એટલા માટે જ્યાં સુધી વ્યાધિઓ અને વૃદ્ધાવસ્થા આવે નહીં ત્યાં સુધી ધર્મ આચરી લે. જ્યારે મુશળધાર વષ થશે ત્યારે એ સમયે કોણ પાળ બાંધી શકશે? કોઈ નહીં. શ્રી અભયમુનિનો એક કાવ્યાંશઃ કવિરાજ અભયમુનિ કહે છેઃ
આ ભવ રત્નચિંતામણિ સરિખો, વારે વારે ન મળશે. જી, ચેતી શકે તો ચેતજે જીવડા, આવો સમય નહીં મળશે જી ગુરુ ઉપદેશ સદા સુખકારી. સુણી અમૃતરસ પીજે છે, જેમ અંજલિમાં નીર સમાણુ ક્ષણ ક્ષણ ઓછું થાય છે... દેવગુર તમે દ્રઢ કરી ધારો. સમકિત શુદ્ધ આરાધોજી,
પકાય જીવની રક્ષા કરીને મુક્તિનો પથ સાધો જી... ચિંતામણિ રત્ન સમાન આ મનુષ્યભવ વારંવાર નહીં મળે. હે આત્માનું !
| ૮૪
શાન્તસુધારસઃ ભાગ ૩]