________________
સાવધાન થઈ જા, આવો મનુષ્યભવ વારેવારે નહીં મળે. આ જન્મમાં ગુરુ ઉપદેશ અવશ્ય સાંભળવો. એ અમૃતરસ છે, સુખદાયી છે અને તારું આયુષ્ય ક્ષણક્ષણ ઓછું થતું જાય છે - જેમ અંજલિમાંથી પાણી ! દેવ-ગુરુ-ધર્મમાં શ્રદ્ધા દૃઢ કરો, શકાય જીવોની રક્ષા કરી અને મુક્તિમાર્ગ પર આગળ વધતા રહો. હવે આપણે આગળ વધીએ.
लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः स भवति प्रत्युतानर्थकारी । जीवहिंसादि पापाश्रवव्यसनिनां
माघवत्यादिमार्गानुसारी ॥ ३ ॥ बुध्यतम्० મનુષ્ય-જન્મ પણ જો અનાદેશમાં મળે તો ઊલટાનો તે નુકસાન કરનારો બને છે. કારણ કે હિંસા વગેરે અનેક પ્રકારનાં પાપો કરીને એ લોકો છેવટે માઘવતી - નરકભૂમિના યાત્રી બને છે.” અનાર્ય દેશમાં મનુષ્ય-જન્મઃ - દેશોના બે ભાગ બતાવ્યા છે - આદિશ અને અનાર્ય દેશ. ‘આ’ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે છે -મન યાતિઃ સર્વેિગ રતિ માર્ચ - સર્વહેય-ત્યાજ્ય ધર્મો (કાય)થી નીકળી ગયો છે તે આર્ય - આવા આયે જ્યાં રહે છે તે આયદિશ કહેવાય છે.
પરંતુ વર્તમાન વિશ્વની સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે કયા દેશને આર્ય કહેવો અને કોને અનાર્ય કહેવો એ અતિ મુશ્કેલ છે. એશિયાના રશિયાના, યુરોપના, અમેરિકાના, આફ્રિકાના સર્વદેશોમાં સર્વ પ્રકારના લોકો વસે છે! ભારતમાં પણ સર્વ પ્રકારના આર્ય-અનાર્ય લોકો વસે છે.
મુખ્ય રૂપે જે દેશમાં માંસાહાર, શરાબ, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ પાપો થાય છે - વ્યાપક રૂપે થાય છે -એ અનાર્યદેશ કહેવાય છે. આ પાપોને પાપ ન માનતાં આનંદપ્રમોદનાં સાધન માને છે. આમ તો ભારતમાં પણ અનાય આચારોની-દુરાચારોની વ્યાપક અસર દેખાય છે. આ દેશમાં પણ શરાબ, માંસાહાર, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન.આદિ મહાપાપ સર્વત્ર ચાલે છે. એવા પરિવારોમાં કે જે માત્ર દેખાવે જ “આર્યકહેવાય છે, પણ વાસ્તવમાં અનાય છે, ત્યાં જન્મ લેવો એ પુણ્યનો ઉદય નથી થતો. એ તો વધારે અનર્થકારી બને છે.
માંસાહાર આદિ પાપોનું આચરણ કરીને તે લોકો નરકમાં જ જાય છે. દેશ ભલે આ કહેવાતો હોય, ત્યાં જો અનાયની વિકૃતિ ફેલાયેલી હોય, તો તે દેશ અનાય
| બોધિદુર્લભ ભાવના
૮૫]