________________
એતી પર નવિ માનત મૂરખ! એ અચરિજ ચિત્ત આયો, ચિદાનન્દ તે ધન્ય જગતમેં જિણે પ્રભુશું મન લગાયો... મૂરખ શ્રી ચિદાનન્દજી જીવાત્માને મૂરખ કહે છે, કારણ કે એ વ્યર્થ જ મનુષ્ય જીવન ગુમાવે છે. ઈન્દ્રિયોના ક્ષણિક વિષયસુખોમાં પરવશે હોય તે પોતાનું મૂળ આત્મસ્વરૂપ ભૂલી ગયો છે. પાંચ મિથ્યાત્વના ચકકરમાં ફસાઈને સત્ય-અસત્યનો ભેદ સમજી શક્યો નથી. કનક અને કામિની સાથે નિરંતર પ્રેમ કરતો રહ્યો, ઉન્મત્ત થઈને ફરતો રહ્યો. મનુષ્ય જીવન કે જે કનકબીજ સમાન છે, એને ખોઈ બેસે છે. જન્મ-જરા અને મૃત્યુનાં દુખમાં અનંતકાળ વિતાવ્યો, કૂવા ઉપર જેમ પાણી માટે રહેંટ ઘૂમે છે-ફરે છે એમ હજુ સુધી જન્મમરણનો અંત નથી આવ્યો.
૮૪ લાખ જીવ યોનિમાં નવાં નવાં રૂપ બનાવ્યાં. પરંતુ સમ્યક્ત-સુધારસ મળ્યું નહીં. આટલું સાંભળીને જો તારી જ્ઞાનવૃષ્ટિન ખૂલે તો આશ્ચર્ય થાય છે. એ પુરુષને ધન્ય છે કે જે પોતાનું મન પ્રભુમાં લીન કરે છે. •
મનુષ્ય જીવનના વિષયમાં ભિન્ન ભિન્ન કવિવરોએ જે પ્રેરણા આપી છે, એના કેટલાક અંશો બતાવું. શ્રી ઉદયમુનિનું એક પદઃ શ્રી ઉદયમુનિ કહે છે:
ભર દરિયાથી પાર ઉતરવા નરભવ છેલ્લું બારું છે, નહીં ચેતે તો ગાજી રહ્યું છે, માથે મોત નગારે છે.... વખત ગયો તે ફરી નહીં આવે, આયુષ્ય નથી લંબાતું જ, દાન-પુણ્ય સત્કર્મ કરીને લે પરભવનું ભાતું જી જોબન જોર છે ચાર દિવસનું, જતાં પલટી જાણે છે, જરા રાક્ષસી જોઈ રહી છે, પછી પસ્તાવો થાશે જી. જિંદગી જલતરંગના જેવી, આયુષ્ય જલપરપોટો છે, માટે ચેતન ! ચેતો. નહીં તો રહેશે દોરીને લોટો જી... પતંગરંગ પ્રભુતા લક્ષ્મી વીજળીનો ઝબકારો જી. વિણસી જતાં વાર ન લાગે. જેમ નેત્ર પલકારોજી વિષયવિલાસ જણાતો મોહક, ઈન્દ્રધનુષ્યના જેવાંજી, ક્ષણમાં નાશક જાણી અનંગની. કેમ કરો છો સેવા? જુઠી કાયા જુઠી માયા, જુઠા જગતના ખેલોજી, ક્ષણિક વસ્તુનો નહીં ભરુસો, જડનો કેડો મેલોજી. આયુષ્ય ક્ષણની કિંમત આંકી, કાંઈક સુકત કીજી,
ધર્મ સાધનમાં વખત વધારી માનવભવ-ઉલ લીજે... | ૮૨
શાન્ત સુધારસઃ ભાગ ૩]