________________
દ્રષ્ટાંત આપ્યું છે. મનુષ્ય જીવનની દુર્લભતા સમજાવવા માટે જ્ઞાની પુરુષોએ ૧૦ દ્રષ્ટાંતો બતાવ્યાં છે. એમાં પ્રથમ દ્રષ્ટાંત ચક્રવર્તીનું ભોજન કર્યું છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો પૂર્વપરિચિત એકૈ દરિદ્ર બ્રાહ્મણ ચક્રવર્તીને મળવા આવ્યો. ચક્રવર્તીએ એના ઉપર પ્રસન્ન થઈને તારે જે જોઈએ તે માગી લે એમ કહ્યું. બ્રાહ્મણે કહ્યું : મારી પત્નીને પૂછીને આવું, પછી માગીશ.” તે પોતાની પત્ની પાસે ગયો અને ચક્રવર્તીની વાત જણાવી. બ્રાહ્મણીએ કહ્યું “રાજાના રાજ્યમાં પ્રતિદિન એક-એક ઘેર ભોજન મળે અને દક્ષિણારૂપ એક સોનામહોર મળે - બસ, આટલું માગો.”
બ્રાહ્મણે જઈને રાજા પાસે વચન માગી લીધું ! ચક્રવર્તીએ વચન આપી દીધું, પરંતુ ચક્રવર્તીને બ્રાહ્મણની માનસિક સ્થિતિ ઉપર દયા આવી. બ્રાહ્મણે ૧૦૦ - ૨૦૦ ગામનું રાજ્ય ન માગ્યું, રાજ્યમાં કોઈ પદ ન માગ્યું, ૫ - ૨૫ લાખ રૂપિયા ન માગ્યા, ૧૦૦-૨૦૦ એકર જમીન ન માગી ! જ્યારે આપનારો હું ચક્રવર્તી રાજા છું. પરંતુ તે મને સમજી શક્યો નથી.
એ રીતે મનુષ્ય જીવનમાં જે ઉચ્ચતમ સુખ - આત્મકલ્યાણ પામવાનું છે, એ ન પામતાં અજ્ઞાની જીવ સંસારનાં ભૌતિક સુખ માગતો ફરે છે. યાદ રાખો, આ સંસાર જંગલ છે અને એમાં મોહ, મિથ્યાવાદિ લાખો લુટારાઓ વસે છે. એકેન્દ્રિયથી 'પંચેન્દ્રિય સુધી અસંખ્ય યોનિમાં જન્મ પામતાં પામતાં આ માનવ-જન્મ મળ્યો છે. અહીં પણ જો એ જ કામ, ક્રોધ, લોભ, મદ, માન, માયા, કપટ આદિ શત્રુઓની શરણાગતિ લઈ લીધી તો પુનઃભવ ભ્રમણ શરૂ થઈ જશે. ફરીથી નિગોદમાં પહોંચી જશો, એટલા માટે મનુષ્ય ભવની કિંમત સમજો. શ્રીમદ્દ ચિદાનંદજીનું એક પદઃ
શ્રીમચિદાનંદજી એક સમર્થ યોગી હતા. તેમણે વૈરાગ્યજનક અનેક પદ રચ્યાં છે. આજે એક પદ સાંભળો -
બિરથા જનમ ગમાયો મૂરખ! બિરથા જનમ ગમાયો. રચક સુખરસ-વશ હો ચેતન ! અપનો મૂલ ન સાયો. પાંચ મિથ્યા ધાર હો આજ હું સાચ ભેદ નવિ પાયો.. મૂરખ. કનક કામિની અરુએહથી, નેહ નિરંતર લાયો. તાહથી તું ફિરત સુરાનો. કનકબીજમાનું ખાયો. મૂરખ જનમ-જરા મરણાદિક દુખ મેં કાલ અનંત ગમાયો. અરહટ ઘટિકા, જિમ કહો યાકો, અંત અજહુનવિ પાયો.. મૂરખ. લખ ચોરાશી પહેર્યા ચોલના, નવનવ રૂપ બનાયો.
બિન સમકિત સુધારસ ચાખ્યો, ગિનતી કોઉ નગિનાયો. મૂરખ. | બોધિદુર્લભ ભાવના
ણ છે
૮૧]