________________
(૫) આસ્તિકતા જિનકથિત ધર્મ ઉપર અવિચળ શ્રદ્ધા હોવી એ આસ્તિકતા છે.
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પ્રત્યે સ્નેહભાવ હોવો એ આસ્તિકતા છે. બારમો ઉપાયઃ આના અવાંતર છ ભેદ બતાવ્યા છે - (૧) તીર્થંકર ભગવંતોએ જે બાર પ્રકારના ગૃહસ્થ ધામ બતાવ્યા છે, બાર વ્રતો
બતાવ્યાં છે, એ ગૃહસ્થ ધર્મનું મૂળ બોધિરત્ન છે, સમ્યક્ત છે. (૨) ધર્મને એક નગરની ઉપમા આપવામાં આવે તો એ નગરનું પ્રવેશદ્વાર એબોધિ
છે - સમ્યગુદર્શન છે. (૩) જેની ઉપર પ્રાસાદ, મહેલ, મકાન ટકે છે, તે પીઠ-પ્લીંથ કહેવાય છે. તે ધર્મરૂપી
મહેલની પીઠ છે બોધિ-સમ્યક્ત. (૪) જે રીતે પૃથ્વીના આધાર વગર, ધમસ્તિકાયાદિ દ્રવ્યોના આધાર વગર આ
સૃષ્ટિ ટકતી નથી, એ રીતે સમ્યત્વના આધાર વગર ધર્મ ટકતો નથી.
સમ્યક્ત જ ધર્મનો આધાર છે. (૫) જે રીતે ભાજનના આધાર વગર આહાર દ્રવ્યો રહી શકતાં નથી એ રીતે
ધર્મતત્ત્વ, સમ્યક્તના, બોધિના ભાજનમાં જ રહે છે. (૬) ખાણ-ખોદકામ કર્યા સિવાય સોનું-રત્ન આદિ પ્રાપ્ત થતાં નથી, એ રીતે
બોધિ-સમ્યક્તરૂપ મહાનિધાન પ્રાપ્ત કર્યા સિવાય નિરૂપમ સુખ આપનાર ચારિત્રધર્મ પ્રાપ્ત થતો નથી. આ રીતે જો તમે બોધિને આત્મામાં સુદ્રઢ કરી લેશો, તો એક વાત નિશ્ચિત છે કે તમે નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં નહીં જાઓ. દુર્ગતિમાં ન જવું હોય તો આ બાર પ્રકારની બોધિની આરાધના કરતા રહો. સમ્યક્તને નિર્મળ કરતા રહો. તમારે તમારી આત્મશક્તિથી જ આ કામ કરવું પડશે.
चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो, भ्राम्यतां घोर संसारकक्षे । बहुनिगोदादि कायस्थिति व्यायते
મોહ-મિથ્યાત્વપુરો | ૨ | મહાભયંકર સંસારરૂપ જંગલ, નિગોદ વગેરે કાયસ્થિતિથી ઘણું વિસ્તૃત છે. એ જંગલમાં મોહનમિથ્યાત્વ આદિ લક્ષાવધિ લુટારાઓ વસે છે. એમાં ભટકતાં ભટકતાં ચક્રવર્તીના ભોજનની જેમ મનુષ્યનો જન્મ મળવો અતિ દુર્લભ છે.' બ્રાહ્મણે ચક્રવર્તી પાસે શું માગ્યું?
આ શ્લોકમાં ગ્રંથકારે મનુષ્ય-જન્મની દુર્લભતા બતાવતાં ચક્રવર્તીના ભોજનનું [ ૮૦
.
શાન્ત સુધારસ ભાગ ૩]