SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કરો (૨) પૂજા કરો (૩) પ્રશંસા કરો (૪) નિંદા ન કરો (૫) આશાતના ન કરો. આઠમો ઉપાયઃ જિનેશ્વર પરમાત્મા, જિનભાષિત જીવ-અજીવાદિ તત્ત્વરૂપ ધર્મ અને જિનપ્રવચનના ધારક સાધુ - આ ત્રણ જ વિશ્વમાં સારરૂપ છે, એના સિવાયનું તમામ - બધું જ - અસાર છે એવું ચિંતન કરતા રહો. નવમો ઉપાયઃ આ ઉપાયમાં પાંચ વાતો આવે છે - (૧) સર્વજ્ઞ વચનમાં શંકા ન કરવી. (૨) મિથ્યા દર્શન, મિથ્યા ધર્મોની ઇચ્છા ન કરવી. (૩) સદાચાર અને સાધુ વગેરેની નિંદા ન કરવી. (૪) અન્ય દર્શનવાળાંની પ્રશંસા ન કરવી. (૫) મિથ્યા દર્શનની સંન્યાસી વગેરેની સાથે સંભાષણ ન કરવું. દશમો ઉપાયઃ આ ઉપાયમાં પણ પાંચ બાબતો આવે છે - (૧) જિનશાસનમાં નિપુણતા પ્રાપ્ત કરો. બીજાંને જિનશાસન પ્રત્યે અભિમુખ કરતા રહો. (૨) બીજના હૃદયમાં જિનશાસન પ્રત્યે આદર-અહોભાવ પ્રકટ કરો. (૩) જિનમંદિર, જિનતીર્થ આદિ સ્થાનોમાં યાત્રાર્થે જવું. ત્યાં રહેવું, સાધુ સાધ્વીની પર્યાપાસના કરતા રહો. (૪) જે લોકો જિનધર્મમાં અસ્થિર ચિત્તવાળા બન્યા હોય, એમને જિનધર્મમાં સ્થિર કરી. સ્વયં બીજા ધર્મોના ચમત્કાર યા સમૃદ્ધિ જોઈને અસ્થિર ન બનો. (૫) જિનશાસન એટલે કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો વિનય કરતા રહો અને સમયોચિત સેવા-ભક્તિ કરતા રહો. અગિયારમો ઉપાયઃ આ ઉપાય પણ પાંચ પ્રકારનો છે - (૧) ઉપશમ કોઈ વ્યક્તિ આપણો અપરાધ પણ કરે, છતાંયે એના ઉપર ક્રોધ ન કરો, કષાયોની પરિણતિનું, એનાં વિપાકોનું ચિંતન કરો. (૨) સવેગ : મોક્ષસુખને જ સુખ માનવું. દેવમનુષ્યનાં ઉત્કૃષ્ટ ભૌતિક સુખોની ઈચ્છા પણ ન કરવી. (૩) નિર્વેદ સાંસારિક સુખો પ્રત્યે વિરક્ત રહેવું. સંસારમાં પાપકર્મોના ઉદયથી જે દુઃખો આવે છે, એ દુખો દીનતા ધારણ કર્યા સિવાય સહન કરી લેવાં. (૪) અનુકંપા દુખી જીવોનાં દુઃખોને, નિષ્પક્ષ ભાવથી, નિરપેક્ષ ભાવથી દૂર કરવાની તીવ્ર ઈચ્છા થવી. [ બોધિદુર્લભ ભાવના | , | ૭૯ ]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy