________________
बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा जलधिजलपतितसुररलयुक्त्या सम्यगाराध्यतां स्वहितमिह साध्यता
बाध्यतामघरगतिग्रत्मशक्त्या ॥१॥ તું બોધને પ્રાપ્ત કર ઉદ્દબુદ્ધ બન, જાગૃત થા, બોધિ અત્યંત દુર્લભ છે. સમુદ્રના અતલ ઊંડાણમાં, ઊંડા પાણીમાં પડેલા દૈવી રત્નની જેમ દુર્લભ એવી બોધિની તું સારી રીતે આરાધના કર, ઉપાસના કર. પોતાના હિતની સાધના કરી લે અને તારી આત્મશક્તિથી, નરકાદિ ગતિઓનાં દ્વાર બંધ કરી દે.’ રત્નરાશિનું દૃષ્ટાંતઃ
તાપ્રલિપ્તિ નગરનો સાગરદત્ત શ્રેષ્ઠી રત્નોનો મોટો વેપારી હતો. એક દિવસે તે પોતાનાં વહાણ લઈને રદ્વીપ જાય છે. જહાજમાં રત્ન ભરીને તે પાછો ફરે છે અને સમુદ્રની વચ્ચે જ એનું વહાણ તૂટી જાય છે. તમામ રત્નો સાગરમાં પડી જાય છે. શ્રેષ્ઠી અતિ દુઃખી થઈ જાય છે. આ વૃષ્ટાંત આપીને ગ્રંથકાર કહે છે કે બોધિરત્નની દુર્લભતા આ રત્નો જેવી છે. તું બોધિરત્નની ઉપાસના સારી રીતે કર. બોધિરત્નની આરાધના
બોધિરત્નની આરાધના અને એની સુરક્ષાના અનેક ઉપાય જ્ઞાનીપુરુષોએ બતાવ્યા છે. એવા કેટલાક ઉપાયો તમને બતાવું છું.
પહેલો ઉપાયઃ જીવ-અજીવાદિ નવતત્ત્વોનું બહુમાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ.
બીજો ઉપાયઃ નવતત્ત્વોના જ્ઞાતા અને ઉપદેશક એવા આચાર્ય-ઉપાધ્યાય આદિની યથાશક્તિ સેવા-વૈયાવચ્ચ કરવી જોઈએ. ત્રીજો ઉપાયઃ મિથ્યા-એકાન્તવાદી દર્શન-ધર્મનો સંપર્ક ન રાખવો.
ચોથો ઉપાયઃ ધર્મશાસ્ત્ર સાંભળવાની અભિલાષા રાખવી. અત્યંત પ્રેમ અને આદરથી ધર્મશ્રવણ કરતા રહો. પાંચમો ઉપાય હૃદયમાં ચારિત્રધર્મનો રાગ હોવો જોઈએ.
છઠ્ઠો ઉપાય ગુરુદેવના તન-મનની સમાધિ રહે એવી રીતે તેમની વૈયાવચ્ચે કરવી જોઈએ. સેવા-વિશ્રામણા આદિ કરતા રહો.
સાતમો ઉપાયઃ તીર્થકર, સિદ્ધ, જિનપ્રતિમા શ્રુતજ્ઞાન, ૧૦ પ્રકારના યતિધર્મ, સાધુસમુદાય, આચાર્ય, ઉપાધ્યાય, સંઘ અને સમ્યગુ દષ્ટિ - આમની (૧) ભક્તિ
૭૮
. શાન્તસુધારસ ભાગ ૩