________________
અનુમતિ લેવા માટે માતા પાસે ગયા. માતાએ એમને ખૂબ વાત્સલ્યથી સમજાવ્યા અને બીજાં બાર વર્ષ વધારે સંયમપાલન માટે સમજાવ્યા. એ બાર વર્ષ વ્યતીત થઈ ગયાં. તે ફરીથી ગૃહસ્થ જીવન પ્રત્યે આકર્ષાયા. તે રજા લેવા પ્રવતિની - સાધ્વીજી પાસે ગયા. સાધ્વીજીએ એમને સમજાવીને બીજાં બાર વર્ષ વધારે સાધુજીવન જીવવા સંમત કર્યા. એ ૧૨ વર્ષ પણ પૂરાં થઈ ગયાં. પછી તે ઉપાધ્યાયજી પાસે ગયા, તેમણે પણ ૧૨ વર્ષ સાધુજીવનનાં વધાય. પછી આચાર્ય પાસે ગયા, તો તેમણે પણ બાર વર્ષ સાધુજીવનનાં વધાય. આ રીતે ૬૦ વર્ષ સુધી સાધુજીવનમાં રહ્યા, તો પણ એમનું મન સાધુતામાં ન લાગ્યું.
'તે પોતાની રત્નકંબલ અને અંગુઠી લઈને તેમના ઘર તરફ ચાલ્યા. એ રાજમહેલ આગળ પહોંચ્યા. હજુ તો એક ઘટિકા રાત્રિ બાકી હતી. રાજમહેલમાં નાટક ચાલી રહ્યું હતું. આમ તો રાત્રિના પ્રારંભથી નાટક ચાલી રહ્યું હતું. નૃત્યાંગના થાકી ગઈ હતી. એની માતા. ત્યાં જ બેઠી હતી. તેણે પુત્રીને કહ્યું: “
બહોત ગઈ થોડી રહી થોડી બી અબ જાય, થોડી દેર કે કારણે તાલ મેં ભંગ ન થાય.”
બેટી, તેં રાતભર નૃત્ય કર્યું છે, ગીત ગાયાં છે. હવે માત્ર બે-એક ઘડી રાત્રિ બાકી છે. રાજા હવે ઈનામ આપવાનો છે. એટલા માટે તારા પગ ઢીલા પડવા ન દે. ઉમંગથી તારું કાર્ય પૂર્ણ કર.
ક્ષુલ્લકકુમાર મુનિ પણ ત્યાં જ ઊભા હતા. તેમણે આ વાત સાંભળી...બહુત ગઈ થોડી રહી થોડી ભી અબ જાય...” મુનિએ વિચાર કર્યો. મેં ૬૦ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. હવે તો મારું આયુષ્ય પણ ઓછું થઈ ગયું. તો પછી શા માટે મારે સંસારમાં આસક્ત થવું જોઈએ?” આવું વિચારીને તે સંયમ ભાવમાં સ્થિર બન્યા અને રત્નકંબલ તેમજ અંગુઠીનૃત્યાંગનાને દાન કરીને ફરીથી પોતાના ગુરુની પાસે પહોંચી ગયા.
એ નાટકમાં રાજકુમાર પણ ઉપસ્થિત હતો. એના મનમાં રાજ્યનો લોભ હતો. પિતાને મારીને રાજ્ય લેવાનું પયંત્ર બનાવ્યું હતું. તે પણ નૃત્યાંગનાની માતાનાં વચન સાંભળીને વિચારવા લાગ્યો “મારા વૃદ્ધ પિતા હવે વધારે વર્ષ જીવવાના નથી. બે-પાંચ વર્ષમાં જ એ મરણને શરણે થઈ જશે. તો પછી એમની હત્યા શા માટે કરું? આટલાં વર્ષ રાહ જોઈ છે તો હવે બે-ચાર વર્ષ વધારે! તેણે રાજાની હત્યા કરવાનું ષડ્રયંત્ર છોડી દીધું. ત્યાં એક સ્ત્રી પણ ઉપસ્થિત હતી. એનો પતિ ૧૨ વર્ષથી પરદેશ ગયો હતો. પતિની રાહ જોવામાં તેણે બાર વર્ષ સુધી શીલધર્મનું પાલન કર્યું હતું. તેણે પણ નૃત્યાંગનાની માતાનાં વચન સાંભળીને વિચાર કર્યો - હવે તો મારો પતિ અવશ્ય પરદેશથી આવી જશે. મારે શીલભંગ ન કરવો જોઈએ.” બોધિદુર્લભ ભાવના
૭૫ |