________________
જુવટનું પાંચમું છે રત્નરાશિનું, છઠું છે સ્વપ્નનું, સાતમું છે ચક્રરાધાવેધનું, આઠમું છે કૂર્મચંદ્રદર્શનનું નવમું છે યુગધૂંસરીનું અને દશમું દ્રષ્ટાંત છે પરમાણુનું.
મનુષ્ય-જન્મની દુર્લભતા આ દશ દ્રષ્ટાંતોથી કવિએ બતાવી છે. આ મનુષ્ય જીવનમાં આકાશકુસુમની જેમ આદિશમાં જન્મ પામવો વધારે દુર્લભ છે. ઉત્તમ કુળ મેળવવું, સુંદર પાંચ ઈન્દ્રિયો પામવી, નીરોગી દેહ પામવો, એમાં પણ સદ્ગુરુ અને ધર્મ પામવો દુર્લભ છે. સદ્દગુરથી ધર્મશ્રવણ પામવું, એના ઉપર શ્રદ્ધા હોવી અને શ્રદ્ધાને અનુરૂપ આચરણ કરવું અતિ દુર્લભ છે.
મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, અખંડ પાંચેય ઇન્દ્રિયો. નીરોગી શરીર, દેવ-ગુરુ-ધર્મનો સંયોગ, ઈત્યાદિ સામગ્રી પ્રાપ્ત કરીને રે મૂઢ! આ માનવજીવનને વેડફી ન દે. આવા અનુકૂળ સંજોગોમાં પણ જો તું હારી જઈશ તો મહામૂખી કહેવાઈશ. એક કથા છે.
દેવીએ એક મૂખને ચિંતામણિ રત્નનો હાર આપ્યો. એ મૂખ ખેડૂતે રત્નોને પથ્થર સમજીને ખેતરમાં પક્ષીઓ ઉડાડવા માટે તેનો ઉપયોગ કર્યો. બીજી વાત. એવી આવે છે કે એ ખેડૂતે એ હારને પોતાના બળદના ગળામાં બાંધી દીધો. જ્યારે એ ગામમાં આવ્યો અને એક ઝવેરી-વેપારીએ બળદના ગળામાં હાર જોયો, તો કેટલાક રૂપિયા આપીને એ હાર લઈ લીધો! એટલે કે મૂખે મનુષ્ય ઉત્તમ વસ્તુનું મૂલ્યાંકન કરી શકતો નથી. સદુપયોગ નથી કરી શકતો. આ દ્રચંતનું તાત્પર્ય એ છે કેમનુષ્ય-જન્મનો મૂર્ખ માણસ સદુપયોગ નથી કરી શકતો. એ તો પાંચ ઇન્દ્રિયોના વિષયસુખમાં, એશઆરામમાં અને રાગદ્વેષમાં પોતાનો મૂલ્યવાન - દુર્લભ મનુષ્ય ભવ વેડફી નાખે છે.
કવિ કહે છે - લોઢાના એક ખીલા માટે સાગરમાં જહાજમાં બેઠેલો માણસ છું જહાજને તોડી નાખશે? એક ઘેરા માટે માણસ પોતાનો રત્નહાર તોડી નાખશે? એ રીતે ઇન્દ્રિયોનાં વૈષયિક સુખો મેળવવા માટે કયો ગમાર બોધિબીજની ઉપેક્ષા કરશે? આ મનુષ્ય જીવન ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થવા માટે નથી, પરંતુ બોધિરત્ન પ્રાપ્ત કરીને એની સુરક્ષા માટે છે. જે મનુષ્ય વિષયાસક્ત હોય છે, એ મનુષ્ય-જન્મ આદિ ઉત્તમ સામગ્રીનો દુરપયોગ કરે છે. કાંકરાને મણિ સમજે છે અને હાથી આપીને બદલામાં ગધેડો ગ્રહણ કરે છે. એક વાર્તા- શુલ્લકકુમારની
એક રાજકુમારે બાલ્યાવસ્થામાં જ ચારિત્રધર્મગ્રહણ કર્યો હતો. એનું નામ હતું ક્ષુલ્લકકુમાર મુનિ ૧૨ વર્ષ સુધી સંયમનું પાલન કર્યા પછી એમનું મન સાધુજીવનથી કંટાળી ગયું. હવે એમને ગૃહસ્થ જીવન જીવવું હતું. તે પોતાની માતાની [ ૭૪
] | શાનસુધારસ ભાગ ૩]
૭૪
'