________________
ઘણી વાર નાના મોટા યુવાન માણસોના મૃત્યુના સમાચાર સાંભળે છે, છાપાઓમાં વાંચે છે. પરંતુ “મારું પણ મોત, ગમે ત્યારે આવી શકે છે, એટલા માટે
જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી મારે આત્મકલ્યાણ કરી લેવું જોઈએ.’ આવો વિચાર નથી આવતો ! આ જ તો મૂઢતા છે ! આ જ તો અજ્ઞાન છે. જે પિતાના બળે નવજવાન પુત્રો મરી ગયા એ પિતાને સંસાર પ્રત્યે વૈરાગ્ય નથી આવતો, ન તો આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરે છે. બે-ચાર દિવસ રોઈને, શોક મનાવીને પૂર્વવત્ રંગરાગની પ્રવૃત્તિમાં ડૂબી જાય છે.
દેહમાં ગમે ત્યારે રોગ ઉત્પન્ન થઈ શકે છે અને ગમે ત્યારે મોત આવી શકે છે. એટલે પ્રમાદ છોડીને ધર્મપુરુષાર્થ કરી લેવાનો છે. બોધિબીજ આત્મક્ષેત્રમાં વાવી દેવાનું છે. બોધિદુર્લભ' પર એક સઝાયઃ હવે બોધિદુર્લભ ભાવનાની જયસોમ મુનિ-રચિત સક્ઝાય સંભળાવું છું -
દશ વૃષ્ટાંતે દોહિલો, લાધે મણુ-જનમારો રે. દુલ્લાહો અંબર ફુલ ક્યું રે, આરજ ઘર અવતાર રે. મોરા જીવનરે! બોધિ ભાવના બારમી રે. ભાવે હદય મજારો રે..૧ ઉત્તમ કુળ તિહાં દોહિલો, સદ્ગુરુ ધર્મ સંયોગો રે. પાંચે ઈન્દ્રિયો પૂર્ણ છે રે. દુલ્લાહો દેહ નીરોગો રે... મોરા. ૨ સાંભળવું સિદ્ધાંતનું રે દોહિલે તસ ચિત્ત ધરવું રે સુધી સદ્ગુહણા ધરી, દુક્કર અંગે કરવું રે... મોરા. ૩ સામગ્રી સઘળી લહી રે મૂઢ! મુધા મત હારી રે ચિંતામણિ દેવી દઓ, હાર્યો જિમ ગમાર રે, મોરા ૪ લહ-કલકને કારણે યાન જલધિમાં ોિડે રે. દોરાકારણ કોણ નવલખો હાર હિયાનો તોડે રે... મોરા ૫ બોધિરણ ઉવેખીને. કોણ વિષયારસ દોડે રે કાંકર મણિ સમોવડ કરે રે ગજ વેચે ખર હોડે રે.. મોરા. 5 ગીત સુણી નટની કહી રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે
કુમારાદિક પણ સમજીયા રે બોધિરયણ સંભાળ્યું રે... મોરા. ૭ શાસ્ત્રોમાં મનુષ્ય-જન્મની દુર્લભતા ૧૦ વૃષ્ટાંતો દ્વારા બતાવવામાં આવી છે. અહીં હું માત્ર દશ વૃષ્ટાંતોનો નામનિર્દેશ જ કરીશ. કથાઓ તો ખૂબ મોટી મોટી છે. પહેલું દ્રષ્ટાંત છે ચુલુકનું બીજું દ્રષ્ટાંત છે પાસકનું ત્રીજું છે ધાન્યરાશિનું ચોથું છે
બોધિદુર્લભ ભાવના
આ
૭૩ ]