SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षम् कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ? ६ ॥ ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ છઠ્ઠા શ્લોકમાં કહે છે - જ્યાં સુધી આ શરીર બીમારીઓથી આક્રાન્ત થયું નથી, જ્યાં સુધી વૃદ્ધત્વનો પંજો શરીર ઉપર પડ્યો નથી, જ્યાં સુધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયમાં સક્ષમ છે મોતની છાયા જિંદગીની ધરતી ઉપર ઊતરી નથી, ત્યાં સુધી સમજદાર અને વિવેકી પુરુષે પોતાના હિત માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. સરોવરનું પાણી જોરશોરથી વહી જાય પછી પાળ બાંધવી યા પથ્થરની દીવાલ બાંધવી, એનો કોઈ અર્થ નથી. શરીર બીમારીઓથી આક્રાન્ત આ માનવશરીર વાસ્તવમાં ધર્મપુરુષાર્થનું સાધન છે. આ શરીરનો ઉપયોગ આત્મકલ્યાણ માટે જ કરવો જોઈએ. એક વાત સમજી લેવી કે આ શરીર માત્ર રોગોથી ભરેલું છે. અશુદ્ધિથી ભર્યું ભર્યું છે. અનેક વ્યાધિઓથી ભરેલું છે. કહેવામાં આવ્યું છે કે सर्वाशुचिमये काये नश्वरे व्याधिपीडिते । को हि विद्वान् रतिं गच्छेद् यस्यास्ति श्रुतसंगमः ॥ चिरं सुपोषितः कायो भोजनाच्छादनादिभिः । . विकृतिं याति सोऽप्यन्ते कास्था बाह्येषु वस्तुषु ॥ કયો બુદ્ધિશાળી મનુષ્ય, જ્ઞાની મનુષ્ય, આ અશુચિમય અને રોગગ્રસ્ત શરીર ઉપર મમત્વ કરશે? આ શરીરની તમે લોકો ભોજન, સ્નાન, વસ્ત્રાદિથી ગમે તેટલી સેવા કરો, પરંતુ તે એક દિવસે વિકૃત બની જશે જ! શરીર ઉપર વિશ્વાસ જનકરો. આત્મહિતમાં આ શરીરનો જેટલો ઉપયોગ થઈ શકે તેટલો કરો. શરીરમાં જ્યારે રોગ ફૂટી નીકળશે, ત્યારે તમે કશું નહીં કરી શકો. ગમે ત્યારે કેન્સર થઈ શકે છે. બ્રેઇન હેમરેજ થઈ શકે છે. અશક્તિ, કમજોરી આવી શકે છે. લોહીનું પાણી થઈ જઈ શકે છે. એટલા માટે જ્યાં સુધી શરીર સશક્ત છે, રોગમુક્ત છે, ત્યાં સુધીમાં ધર્મ પુરુષાર્થ કરી લો, બોધિની પ્રાપ્તિ કરી લો. શરીર અને વૃદ્ધત્વઃ ગ્રંથકારે બીજી વાત કરી છે વૃદ્ધત્વની. યાદ રાખો કે યૌવન શાશ્વત નથી. યૌવને ગણેવ - યૌવન જલરેખા જેવું છે. પાણીમાં દોરેલી રેખા કેટલો સમય સુધી ટકી શકે? યૌવન આવું જ છે. યૌવન ચાલ્યું જાય છે. વૃદ્ધાવસ્થા આવી જાય છે. શરીર અશક્ત બની જાય છે. પછી વ્રત, નિયમ અને તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન અને સેવા૭૦ છેશાન્તા સુધારસઃ ભાગ ૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy