SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ છે, જે ઉપદેશજન્ય હોવાથી ‘અભિગૃહિત’ કહેવામાં આવે છે. આ જ્યારે વિચારદશા જાગૃત ન થઈ હોય તો અનાદિકાલીન આવરણને કારણે કેવળ મૂઢતા હોય છે. એ સમયે તત્ત્વનું શ્રદ્ધાન ન હોય તો અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી હોતું. આ દશામાં માત્ર મૂઢતા હોવાથી તેને તત્ત્વનું અશ્રદ્ધાન કહી શકાય છે. એ નૈસર્ગિક અથવા ઉપદેશનિરપેક્ષ હોવાથી “અનભિગૃહિત’ કહેવામાં આવે છે. વૃષ્ટિ યા પંથસંબંધી બધા એકાન્તિક કદાગ્રહ અભિગૃહિત મિથ્યાદર્શન છે. એ મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હોઈ શકે છે. મોટા ભાગના માણસો આ મિથ્યાત્વમાં મોહિત હોય છે અને તેઓ બોધિલાભથી વંચિત રહે છે. માયા-કપટની જાળઃ મહામોહ, મિથ્યાત્વ અને માયાજાળમાં ફસાયેલ મનુષ્ય બોધિરત્ન તો નથી પામી શકતો, પણ ગહન સંસારસાગરમાં ડૂબી જાય છે. માયા પોતે જ એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં સમગ્ર આંતરગુણસંપત્તિ બળીને રાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. આંતરવિકાસના દ્વાર બંધ થઈ જાય છે. એટલા માટે કહેવાયું છે કે વર્તમાનપતિ શુદ્ધાત્મા / અશુદ્ધ આત્મા ધર્મની આરાધના કરી શક્તો નથી. અશુદ્ધ આત્મા ભલે બાહ્ય ધર્મક્રિયાઓ કરીને સંતોષ માની લે કે હું ધર્મ આચરું છું. પરંતુ વાસ્તવમાં તે ધર્મ નથી હોતો, પણ ધર્મનો આભાસમાત્ર છે. માયા-કપટ કરીને તમે શું સુખ મેળવવા માગો છો? કોઈને કોઈ સુખની કલ્પનાથી પ્રેરિત થઈને માયા આચરવા માટે તૈયાર થઈ જાઓ છો ને? શું એ સુખ અક્ષય હશે? એ સુખ અનંત હશે? નહીં ને? એ સુખ હશે ક્ષણિક અને કલ્પનાનું, એ સુખ હોય છે માત્ર બાહ્ય દેખાવનું. માયાવી માણસ, કપટી વ્યક્તિ કદીય આંતરિક સુખ પામી શકતો નથી. માયાની સાથે અશાન્તિ જોડાયેલી હોય છે. ચિત્તની ચંચળતા સંલગ્ન હોય છે. માયાવી મનુષ્ય કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં એકાગ્રતા યા તલ્લીનતા પામી શકતો નથી. પરમાત્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકતો નથી. તમે લોકો પણ આ અભિગમથી તમારી જાતને તપાસજો. જો તમે જાણીબૂજીને કોઈ ભૂલ છુપાવી રાખશો, તો તમે શાન્તિનો અનુભવ કરી શકશોનહીં. ગુપ્ત રહેલો કોઈક સંતાપ તમને સતાવતો રહેશે. જો બોધિરત્ન પામવું હોય, પરમસુખ પામવું હોય, તો માયાને તિલાંજલિ આપવી જ પડશે. નહીંતર ભટકતા, આથડતા-પટકાતા સંસારના અગાધ કૂવામાં વધુ ઊંડા ઊતરી જશો. विभिन्नाः पन्थानः, प्रतिपदमनल्पाश्च मतिनः कुयुक्तिव्यासंगैनिजनिजमतोल्लासरसिकाः । બોધિદુર્લભ ભાવના ૬૭
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy