________________
જીવો હોય છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવ ‘ત્રસ’ કહેવાય છે. પરંતુ ત્રસ જીવોમાં પણ પંચેન્દ્રિય જીવ થવું અતિ મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે સ્થાવર જીવોનાં આયુષ્ય અને કાયસ્થિતિ વધારે પ્રમાણમાં હોય છે. પહેલાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાંભળી લો -
પૃથ્વીકાય - ૨૨ હજાર વર્ષ
કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી
# અકાય - ૭ હજાર વર્ષ
– વાયુકાય - ૩ હજાર વર્ષ
– અગ્નિકાય - ૩ દિવસ
– બેઇન્દ્રિયાદિ- ૧૨ વર્ષ, ૪૯ દિવસ, ૬ માસ... કાયસ્થિતિ - અસંખ્યાત હજાર વર્ષ
– વનસ્પતિકાય - ૧૦ હજાર વર્ષ .... કાયસ્થિતિ - અનંત ઉત્સર્પિણી. પંચેન્દ્રિય જીવ થવું એ કેટલું કપરું છે એ વાત સમજ્યાને ? પંચેન્દ્રિય જીવોમાં નારક, દેવ, પશુ, પક્ષી અને મનુષ્યો હોય છે. મનુષ્યમાં પણ સંશી (મનવાળા) અને અસંશી (મન વગરના) હોય છે.
સંશી મનુષ્ય ઃ છ પર્યાપ્તિઓ પૂર્ણ હોવી
સૌથી પ્રથમ તો પર્યાપ્તિની પરિભાષા જાણી લો -
पर्याप्तिर्नाम पुद्गलोपचयजः पुद्गलपरिणमनहेतुः शक्तिविशेषः । પુદ્ગલ સમૂહમાંથી ઉત્પન્ન અને પુદ્ગલના ગ્રહણપરિણમનમાં કારણભૂત શક્તિને પર્યાપ્તિ' કહે છે. (પ્રથમ કર્મગ્રંથ-ટીકા)
એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી દરેક જીવ. પોતપોતાની યોગ્યતા અનુસાર પોતાના શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનનું નિર્માણ કરે છે. આ નિર્માણ ન તો બ્રહ્મા કરે છે, ન કોઈ ઈશ્વર કરે છે. હા, આત્માને જ બ્રહ્મા કહો યા ઈશ્વર કહો તો કોઈ વિરોધ નથી.
શરીર વગેરેનું નિર્માણ કરવા માટે જીવાત્મામાં શક્તિ જોઈએ. જીવની સાથે અનાદિકાળથી ‘તૈજસ’ શરીર અને કાર્મણ શરીર (સૂક્ષ્મ શરીર) તો હોય જ છે. એ ઉપરાંત ઇન્દ્રિયસાપેક્ષ યોગ્યતા અનુસાર પ્રત્યેક જીવમાં એક શક્તિ પ્રકટ થાય છે. જો કે આ શક્તિની પ્રાપ્તિમાં ‘કર્મ’ તો સૂક્ષ્મરૂપે કારણભૂત હોય છે. આ શક્તિનું નામ છે - પર્યાપ્તિ. આ પર્યાપ્તિઓ છ પ્રકારની છે -
(૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્ત (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત (૫) ભાષા પર્યાપ્તિ (૬) મનઃ પર્યાપ્તિ.
કર
શાન્તસુધારસ : ભાગ ૩