________________
ઉત્તરઃ જેમ જેમ વ્યવહાર રાશિમાંથી જીવો સિદ્ધ બને છે, જેટલા જીવો સિદ્ધ બને છે, એટલા જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. જે જીવ અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળે છે અને અન્ય જીવનિકાયમાં ઉત્પન્ન થાય છે તે જીવ પૃથ્વીકાય...આદિ વિવિધ વ્યવહાર પામે છે. એટલા માટે એ જીવ વ્યવહાર રાશિના કહેવાય છે. પરંતુ જે જીવ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં રહેતા હોવા છતાં, તેમના પૃથ્વીકાય, અપૂકાય ઇત્યાદિ વ્યવહાર ન થયો હોવાને લીધે તેઓ અવ્યવહાર રાશિના જીવ કહેવાય છે.
ગ્રંથકારે નિગોદને અંધકારપૂર્ણ કૂવો કહ્યો છે. તેઓ માત્ર એક જ સ્પર્શેન્દ્રિયવાળા જ હોય છે. બાકીની ચાર ઇન્દ્રિયો અને મન એમને હોતાં નથી. જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાયેલા એ જીવો દુઃખી... અતિ દુઃખી હોય છે. એવા જીવોની એવી આત્મવિશુદ્ધિ કેવી રીતે થશે કે જેના દ્વારા તેઓ નિગોદમાંથી (સૂક્ષ્મ નિગોદમાંથી, બાદર નિગોદમાંથી) બહાર નીકળી શકે? ત્યાંથી બહાર નીકળવાનું તો ત્યારે જ સંભવિત બની શકે કે જ્યારે એક મનુષ્ય મોક્ષમાં જાય! નિગોદમાંથી બહાર નીકળવા છતાં પણ એ જીવ સ્થાવરત્વ એટલે કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ આદિમાં ઉત્પન્ન થાય છે!
આ વાત એટલા માટે બતાવવામાં આવે છે કે આપણો જીવ ક્યાં ક્યાં જન્મ-મૃત્યુ પામેલો છે.. અને આજે મનુષ્ય બન્યો છે ! મનવાળો મનુષ્ય બન્યો છે ! ततो निर्गतानामपि स्थावरत्वं त्रसत्वं पुनर्दुर्लभं देहभाजाम् । त्रसत्वेऽपि पंचाक्षपर्याप्तिसंज्ञि-स्थिरायुष्यवद् दुर्लभं मानुषत्वम् ॥ ३ ॥
માનો કે જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળ્યો, તો પણ એ પ્રાણીને બાદરત્વ, સ્થાવરત્વ પ્રાપ્ત થાય છે. ત્રસત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે. ત્રણત્વમાં પણ પંચેન્દ્રિયત્ન અને તે પણ “છ પયપ્તિથી પૂર્ણ પ્રાપ્ત થવું મુશ્કેલ હોય છે. સંજ્ઞી અવસ્થા મળી તો પણ આયુષ્યસ્થિરતા અને મનુષ્યજીવન, મનુષ્ય શરીર મળવું ભારે મુશ્કેલ છે.’ दुर्लभं मानुषत्वम् ।
આ શ્લોકમાં ગ્રંથકારે અતિ મહત્ત્વની વાત કરી છે. જીવ સૂક્ષ્મ નિગોદમાંથી કદાચ બહાર નીકળ્યો, બીજી જીવનિકાયોમાં ઉત્પન્ન પણ થઈ ગયો, તો પણ બીજી જીવનિકાયોમાંથી નીકળીને ફરીથી એ નિગોદમાં ઉત્પન્ન થઈ શકે છે. ભલે ને એ વ્યવહાર રાશિનો જ જીવ કહેવાય, પરંતુ ફરીથી એને નિગોદમાં અસંખ્ય પુદ્ગલ પરાવર્તકાળ રહેવું પડે છે. એ પુદ્ગલ પરાવર્તનનો સમય આવલિકાના અસંખ્યાત ભાગ જેટલા સમયોનો હોય છે. પૃથ્વીકાય, અપકાય. તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય-આ તમામ સ્થાવર બોધિદુર્લભ ભાવના
૬૧]