SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિશદ્ધિ થાય છે. અનિવૃત્તિકરણના સમયમાં પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વ સ્થિતિબંધની પ્રક્રિયાઓ તો થાય છે. પરંતુ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ ક્રિયા થાય છે - “અંતરકરણ'ની. આ અંતરકરણ'ના સમયમાં મિથ્યાત્વનો ઉદય નથી થતો. એટલે કે જીવ , *ઉપશમ સમ્યત્વ' પ્રાપ્ત કરે છે. વિશેષાવશ્યક ભાષ્ય'ની ટીકામાં કહેવામાં આવ્યું છે કે ઘાસ વગરની ભૂમિ પર જંગલની આગ જેમ સ્વયમેવ હોલવાઈ જાય છે, એ રીતે અંતરકરણમાં મિથ્યાત્વની આગ શાન્ત થઈ જાય છે. એટલા માટે જીવાત્મા ઉપશમસમકિત પ્રાપ્ત કરે છે. જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થાય છે, ત્યારે જીવાદિ નવ તત્ત્વોમાં - આ જ તત્ત્વો સાચાં છે - એવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. બોધિ - નિસર્ગથી અને અધિગમથીઃ - સમ્યગુદર્શન પ્રકટ થાય છે - નિસર્ગથી અને અધિગમથી. કોઈ આત્માને સમ્યગદર્શનના આવિભવમાં બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, તો કોઈ આત્માને બાહ્ય નિમિત્તની અપેક્ષા રહેતી નથી. બાહ્ય નિમિત્તની અપેક્ષાથી જે સમ્યગુદર્શન પ્રકટ થાય છે એને ‘અધિગમ’ સમ્યગુ દર્શન કહે છે અને બાહ્ય નિમિત્તની અપેક્ષા વગર જે સમ્યગુદર્શન પ્રકટ થાય છે એને નિસર્ગ સમ્યગુદર્શન' કહેવામાં આવે છે. બાહ્ય નિમિત્તો અનેક પ્રકારનાં હોય છે. વીતરાગ પરમાત્માની પ્રતિમા જોઈને કોઈનું આધ્યાત્મિક જાગરણ થઈ જાય તો કોઈની આધ્યાત્મિક ચેતના સદુગરના દર્શનથી જાગી ઊઠે! કોઈને શાસ્ત્રોનું અધ્યયન કરતાં, તો કોઈને સદ્ગુરુનો ઉપદેશ સાંભળીને સમ્યગ્દર્શન પ્રકટ થઈ જાય છે. બાહ્ય નિમિત્તો વગર પણ કોઈ વાર આત્મપરિણામ શુદ્ધ થતાં જાય, રાગદ્વેષની તીવ્રતા મંદ-મંદતર થતી જાય અને સત્યનું પ્રથમ કિરણ મળી જાય! તત્ત્વનિશ્ચય થઈ જાય. પરંતુ તત્ત્વરુચિ અને તત્ત્વનિર્ણય કેવળ આત્મતૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસ માટે જ હોવાં જોઈએ. કોઈને ધન-પ્રતિષ્ઠા વગેરે માટે, ભૌતિક વાસનાઓ માટે જો તત્ત્વજિજ્ઞાસા જાગે તો એ સમ્યગુદર્શન ન બની શકે. બોધિપ્રાપ્તિના પાંચ લક્ષણોઃ उवसम संवेगोऽवि य, निव्वेओ तहय होइ अणुकंपा । अत्थिक्कं चिय एए संमत्ते लक्रवणा पंच ॥ ३६ ॥ . (પ્રવચનસારી) ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિષ્પ - આ પાંચ બોધિપ્રાપ્તિનાં [ બોધિદુર્લભ ભાવના ૫૯ ]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy