________________
વિચારે છે કે મારું એક પણ કાર્ય એવું ન હોવું જોઈએ કે મને આવનાર જન્મોમાં હીન, જઘન્ય કુળમાં જન્મમળે. આમ તો સમ્યગુષ્ટિ જીવદેવલોકનું જ આયુષ્ય બાંધે છે. ચોથો પ્રભાવ બતાવ્યો છે અદ્વૈત બ્રહ્મની ઉત્તમ પદવી પ્રાપ્ત થાય છે. એટલે કે સમકિત દ્રષ્ટિ જીવ બોધિના પ્રભાવે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અલબત્ત, આ બોધિ પ્રાપ્ત કરવી સરળ નથી, દુષ્માપ્ય છે. છતાં પણ ભવ્યાત્મા કદી ને કદી બોધિ પ્રાપ્ત કરે છે. ક્યારે અને કેવી રીતે બોધિ - સમ્યગુ દર્શન જીવ પ્રાપ્ત કરે છે એ
વાત પહેલાં સમજાવું છું. સમ્યગુ દર્શન - બોધિપ્રાપ્તિનો ક્રમઃ
જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળથી છે. જીવ સંપૂર્ણતયા કર્મોથી પ્રભાવિત છે. એની દરેક પ્રવૃત્તિ અને વૃત્તિ કર્મપ્રેરિત છે, પરંતુ સંસાર-પરિભ્રમણનો કાળ
જ્યારે મર્યાદિત થાય છે અને જીવમાં કંઈક હોશ જેવું આવે છે ત્યારે એને આંતરબાહ્ય અનુકુળ સંજોગો પ્રાપ્ત થાય છે. એ સંજોગોમાં જે તે કમનો નાશ કરવા માટે ભારે પુરુષાર્થ કરી લે તો તે આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સૌથી પહેલી આત્મશુદ્ધિ હોય છે સમ્યગ્દર્શનની, બોધિની ! એ એને પ્રાપ્ત થઈ જાય છે.
આંતરબાહ્ય અનુકૂળતાઓ કેવી મળવી જોઈએ એ આપણે પહેલા જાણી લઈએ. જીવાત્મા પર્યાપ્ત હોવો જોઈએ, એટલે કે છ પયપ્તિઓથી યુક્ત હોવો જોઈએ.
પયપ્તિઓ અંગે આગળ સમજાવીશ. - પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ હોવી જોઈએ. v સંજ્ઞીપણું જોઈએ. એટલે કે મન જોઈએ. મન વગરની પંચેન્દ્રિયો પણ અયોગ્ય
છે.
શુભલેશ્યા જોઈએ. એટલે કે તેજેશ્યા, પવલેશ્યા, શુક્લલેક્ષામાંથી કોઈપણ - એક વેશ્યા જોઈએ. : પરાવર્તમાન શુભ કર્મપ્રવૃત્તિ બાંધનાર જીવ હોવો જોઈએ. in નિરંતર વધનારો અધ્યવસાય હોવો જોઈએ.
અશુભ કર્મપ્રવૃત્તિના રસને અનંત ગુણહીન અને શુભ કર્મપ્રવૃત્તિના રસને અનંત ગુણવૃદ્ધિથી બાંધનાર જોઈએ. (રસબંધ) આયુષ્ય-કર્મબંધ કરનારો ન હોવો જોઈએ. | ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગમાં ન્યૂનથી ન્યૂન કર્મબંધ કરતો હોવો
જોઈએ. [ પs _
શાનસુધારસ : ભાગ ૩]