________________
મોહનીય કર્મના ઉદયથી.
જ્ઞાનવૃષ્ટિથી દેવલોકની દુનિયા બતાવું છું. ધ્યાનથી સાંભળો.
॥ જ્યારે મહર્દ્રિ દેવ, અલ્પ ઋદ્ધિવાળા દેવ પર ક્રોધાયમાન થાય છે ત્યારે એની ઉપર દુષ્ટ પુદ્ગલ ફેંકીને પરવશ બનાવી દે છે અને એ અલ્પ ઋદ્ધિવાળો દેવ પાગલ બનીને વિચિત્ર ચેષ્ટાઓ કરે છે.
# ઉન્માદને કારણે તે અતત્ત્વને તત્ત્વ માને છે, તત્ત્વને અતત્ત્વ માને છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી તીવ્ર વિકારની વ્યથાનો અનુભવ કરે છે. એવી કામવિડંબણા ભવનપતિ, વ્યંતર જ્યોતિષી અને સૌધર્મ - ઈશાન દેવલોક સુધી જ હોય છે. (આ તમામ વાતો ‘ક્ષેત્રલોક પ્રકાશ’ના ૨૬મા સર્ગમાં છે.) ક્યાંક પ્રકાશ - ક્યાંક અંધકાર ઃ
દેવોની દુનિયામાં સર્વત્ર રત્નોનો પ્રકાશ ફેલાયેલો છે, તો નરકમાં સાતે નરકોમાં ઘોર અંધકાર વ્યાપ્ત છે. મધ્યલોકમાં પણ ક્યાંક અંધકાર હોય છે, તો ક્યાંક પ્રકાશ હોય છે. જ્ઞાનવૃષ્ટિથી જોશો તો દેખાશે.
ક્યાંક જયજયકાર - ક્યાંક શોક-વિષાદ :
૧૪ રાજલોકમાં વિષમતાનાં દર્શન કરીને વિષયોથી, ભૌતિક સુખોથી વિરક્ત બનવાનું છે.
॥ સમગ્ર દેવલોકમાં, મધ્યલોકમાં પણ ક્યાંક ક્યાંક ઉત્સવોની મસ્તી જુઓ... જય મંગળના નાદ સાંભળો. ખુશી અને એશઆરામ જુઓ, તો નરકમાં.... # પરમાધામીકૃત વેદનાઓને સહન કરતા નારકોને જુઓ. # નારકોની અરસપરસાનિત વેદનાઓ જુઓ.
– શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખણજ, પરવશતા, જ્વર, દાહ, ભય અને શોક - આ દશ પ્રકારની વેદનાઓ જુઓ.
# કોઈક સ્થળે ભારે ગર્જનાઓ થાય છે, તો કોઈક સ્થળે ચિત્કાર-બૂમ પડે છે. ક્યાંક હાય હાયના ઉદ્ગાર સાંભળવા મળે છે, તો ક્યાંક શોક-વિષાદ-ગમગીની છવાયેલાં જોવા મળે છે.
મનુષ્યલોકમાં જુઓ :
મનુષ્યસૃષ્ટિ અઢી દ્વીપની છે. ૫ મહાવિદેહ, ૫ ઐરવત અને ૫ ભરતક્ષેત્રો છે. આ પંદર ક્ષેત્રોમાં દૃષ્ટિપાત કરો. મહાવિદેહમાં તીર્થંકર - ગણધરોના સમવસરણ જુઓ. જિનેશ્વરની વાણી સાંભળો. ત્યાં સદૈવ ઉત્સર્પિણી કાળનો વિશિષ્ટ સુખવૈભવ જુઓ.
શાન્તસુધારસ : ભાગ ૩
૫૦