________________
અને જ્યાં અવસર્પિણી કાળ છે એવા ભરતક્ષેત્રમાં જુઓ. ક્યાંક મહેલ, ક્યાંક ઝુંપડી, ક્યાંક સુખ, આનંદ અને ઉમંગ તો કોક સ્થાને ઘોર દુઃખ, અસહ્ય ત્રાસ અને ઘોર નિરાશા ! કોક જગાએ વિવિધ ઉત્તમ ખાધ પદાર્થોના ઢગલા તો કોઈક સ્થળે સૂકી રોટલી ય ખાવા મળતી નથી ! કોક જગાએ પરમ અહિંસાનું પાલન તો કોઈક સ્થળે પ્રતિદિન હજારો-લાખો પશુઓનો વધ ! કોક જગાએ ન્યાયનીતિ, તો કોક જગાએ અન્યાય અને અનીતિ ! ક્યાંક નીરોગિતા તો અન્યત્ર લાખો લોકો વિવિધ રોગોમાં ફસાયેલા છે. કેન્સર, ટી.બી., બ્રેઇન હેમરેજ, પેરેલીસીસ, એઇડ્સ જેવા અસંખ્ય રોગોમાં ઘેરાયેલા લાખો લોકો !
આવો છે ૧૪ રાજલોક ! કરવું છે જ્ઞાનવૃષ્ટિથી ચિંતન ?
સંબંધો જોડવા અને તોડવા
:
એક નવી વિષમતા બતાવતાં ગ્રંથકાર કહે છે : જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલાં પ્રાણીઓએ અનંત વાર અનંત જીવો સાથે વિવિધ સંબંધો બાંધ્યા-તોડ્યા છે. જેની સાથે દોસ્તી હોય છે, એને દુશ્મન માને છે, દુશ્મનોને દોસ્ત માને છે.
જન્મ-જન્માન્તરની દૃષ્ટિથી તો એક ભવની માતા બીજા ભવમાં પુત્રી-પત્ની બની શકે છે. બહેન બની શકે છે. પુત્ર મરીને પિતા બની શકે છે. પિતા મરીને શત્રુ બની શકે છે. અનાદિ-અનંત સંસારમાં સંબંધો બદલાતા રહે છે.
ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરો
:
આ રીજે ૧૪ રાજલોકમાં જ્ઞાનવૃષ્ટિથી જોતાં જોતાં જો તમને લોકોને ભવભ્રમણથી થાક લાગ્યો હોય તો જિનેશ્વર દેવને ભાવપૂર્વક નમસ્કાર કરો. એમણે જવિનીત જીવોને શાન્તસુધારસનું પાન કરાવ્યું છે. ૧૪ રાજલોકરૂપ સૃષ્ટિનાં દર્શન કરાવ્યાં છે. આ સૃષ્ટિમાં જે વિસંવાદિતા છે એ બતાવી છે. હવે આ લોકમાં પરિભ્રમણ કરવા કરતાં લોકાંત ઉપર રહેલી સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે સ્થિર થઈ જવાનો ઉપદેશ આપ્યો અને પથદર્શન કર્યું છે.
ભાવપૂર્વક નમસ્કા૨ ક૨વાનો અર્થ છે - તીર્થંકર-પ્રદર્શિત મોક્ષમાર્ગની આરાધના કરવી એ છે. શાન્ત-પ્રશાન્ત આત્મા જ મોક્ષમાર્ગની સુચારુ આરાધના કરી શકે છે. અશાન્ત અને સંતપ્ત જીવ ભાવપૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરી શકતો નથી.
આ રીતે આજે આપણે લોકસ્વરૂપ ભાવનાનું સમાપન કરીએ છીએ. તમે આ ભાવનાને ઓછામાં ઓછી ત્રણ વાર તો અવશ્ય વાંચજો. વધારે અવકાશ હોય તો સાત વાર વાંચજો. એનાથી વિપુલ કનિર્જરા થશે.
આજે બસ, આટલું જ.
લોકસ્વરૂપ ભાવના
૫૧