________________
: દેવાંગનાઓનાં ગીત અને વાઘોથી વ્યંતર-વાણવ્યંતર દેવ નિરંતર સુખી હોય
છે. એ અતીતને જાણતા નથી. | બીજી બાજુ લાન્તક દેવલોકની નીચે સનકુમાર દેવલોકની નીચે અને સૌધર્મઈશાન દેવલોકની નીચે કિલ્વિષિક' નામના દેવો રહે છે. એ દેવો હોવા છતાં દેવલોકમાં ચાંડાલ જેવા દેવો છે. નિંદનીય કર્મ કરનારા એ દેવોને દેવલોકમાં અસ્પૃશ્ય માનવામાં આવે છે. બીજા દેવો દ્વારા એ ધિકકાર અને તિરસ્કાર પામે
એ કિલ્વિષિક દેવોને અષ્ટાનિકા મહોત્સવ, જિનજન્મમહોત્સવ વગેરેમાં સ્થાન નથી મળતું. એથી તેઓ ભારે શોક અને વિષાદનો અનુભવ કરે છે. એ કિલ્વિષિક દેવ કોણ બને છે? . જેમનુષ્ય આચાર્યાદિમુનિવરોનો ગચ્છનો-સંઘનો અવર્ણવાદઅપકીર્તિ કરે છે. in જે લોકો અસનું ઉદ્ભાવન કરીને આત્માને ગૂઢ મિથ્યાત્વ કરે છે.
ચારિત્રનું પાલન કરતાં પણ જે અતિચારોનું આલોચન નથી કરતા, પ્રતિક્રમણ નથી કરતા એ જીવો ‘કિલ્વિષિક દેવ’ બને છે. દેવલોકમાં પણ આવી વિષમતાઓ હોય છે. . જ્યોતિષદેવ અને વૈમાનિક ઇન્દ્રોને વૃષભોનું સૈન્ય હોય છે. ભવનપતિ અને
વ્યંતરને પાડાનું સૈન્ય હોય છે. વાસ્તવિકતા એ છે કે દેવોમાં પશુ હોતાં જ નથી, પરંતુ નોકર-ચાકર દેવોને પોતાના માલિકને બેસવા માટે એવા પશુઓનાં રૂપ ધારણ કરવાં પડે છે. છે ને દેવોમાં પણ પરાધીનતા !!
એ રીતે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનોને દેવોએ પશુ રૂપ ધરીને વહન કરવો પડે છે. પૂર્વમાં સિંહના રૂપમાં, દક્ષિણમાં હાથીના રૂપમાં, ઉત્તરમાં ઘોડાના રૂપમાં, પશ્ચિમમાં બળદના રૂપમાં વિમાનો વહન કરવાં પડે છે. દેવલોકમાં પણ યુદ્ધો થાય છે?
સૌધર્મ અને ઈશાન દેવલોકનાં વિમાનોના વિવાદમાં પરસ્પર શસ્ત્રાદિથી યુદ્ધો. થાય છે. એમાં શરીર ઉપર જે ઘા પડે છે, પીડા થાય છે, તે જિનેશ્વરોની દાઢાના નાત્રજળથી શાન્ત થાય છે. ક્રોધ પણ શાન્ત થાય છે. દેવોનો ઉન્માદઃ
કેટલાક દેવો તીવ્ર કામવાસનાથી ઉત્તેજિત થાય છે ત્યારે સ્વદેવીની સાથે કામભોગ કરે છે, છતાં પણ તૃપ્ત નથી થતા ત્યારે અપરિગૃહિતા (વેશ્યાદેવી)ની સાથે કામક્રીડા કરે છે. આ કામોન્માદ બે પ્રકારે થાય છે - (૧) યક્ષાવેશથી અને (૨) [ લોકસ્વરૂપ ભાવના
ના ૪૯ ]