SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રઘાતના આઠમા સમયમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં આત્મા અનાહારી હોય છે. કારણ કે એ સમયમાં કેવળ સૂક્ષ્મ શરીર જ સક્રિય રહે છે. આહારની આવશ્યકતા સ્થૂળ શરીરને રહે છે. આ ત્રણ સમય સિવાય પાંચ સમયમાં ઔદારિક શરીર સક્રિય બને છે, એટલા માટે ત્યાં આત્મા આહારી હોય છે. આહાર ગ્રહણ કરે છે, પરંતુ કર્મ-પુદ્ગલ ગ્રહણ નથી કરતો. ૧૪ રાજલોક-મંદિરસ્વરૂપઃ સમુદ્યાતના વિષયમાં પર્યાપ્ત વિવેચન કરીને હવે ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે જીવ અને પરમાણુઓની અનેક પ્રકારની ક્રિયાઓ અને એમના ગુણોને માટે ૧૪ રાજલોક મંદિરરૂપ છે. મંદિર એટલે ગૃહ, નિવાસ, આલય. કહેવાનો અર્થ એ છે કે સમગ્ર રાજલોક જીવોથી અને પુદ્ગલ પરમાણુઓથી ભરેલો છે. જીવોની અને પુદ્ગલોની વિવિધ પ્રકારની ક્રિયાઓ અને વિવિધ ગુણો જોવા મળે છે. ચાર ગતિઓમાં જીવોનાં જન્મ-જીવન અને મૃત્યુ... પરિવર્તનશીલ જીવસૃષ્ટિને જ્ઞાનવૃષ્ટિથી જુઓ. પુદ્ગલોનું પરિવર્તન પણ જોતા રહો. લોકપુરુષનું ચિંતન यो वैशाखस्थानकस्थायिपादः श्रोणिदेशेन्यस्तहस्तद्वयश्च । कालेऽनादौशश्वदूर्ध्वदमत्वाद् बिभ्राणोऽपिश्रान्तमुद्रामखिन्नः॥ “જેણે પોતાના બંને પગ પહોળા કરીને જમીન ઉપર મજબૂતીથી રાખ્યા છે, જેણે ' પોતાની કમર ઉપર બંને હાથ મૂક્યા છે અને અનાદિકાળથી આ રીતે એકદમ સીધો ઊભા રહેવાથી મુખ ઉપર થાકનાં ચિહનો જણાતા હોવા છતાં પોતાની જાતને નિયંત્રિત રાખવાને કારણે ત્રસ્ત યા ખિન દેખાતો નથી.” . મનુષ્ય શરીરમાં લોકનું ચિંતનઃ મનુષ્યાકૃતિમાં લોકપુરુષ બનાવીને કેવળજ્ઞાની મહાપુરુષોએચિંતનમાં સરળતા લાવી દીધી છે. તમે તમારા શરીમાં જ ૧૪ રાજલોકનું ચિંતન કરી શકો છો. તમે તમારા ઓરડામાં જ જમીન ઉપર બે પગ પહોળા કરીને અને તમારા બંને હાથ તમારી કમર ઉપર જમાવી -ગોઠવી દો. એકદમ સીધા ઊભા રહો. - કમરની નીચે બે પગોની વચ્ચે સાત નરકને જુઓ. 1 પહેલી “રત્નપ્રભા' નરકની ઉપર ૧૦૦ યોજનમાં ઉપર-નીચે ૧૦/૧૦ યોજન છોડીને ૮૦ યોજનમાં વાણવ્યંતર' દેવોને જુઓ. આ વાણવ્યંતર દેવો પહાડોની ખીણોમાં રહે છે. જંગલોમાં ફરતા રહે છે. આ રત્નપ્રભા નરક પૃથ્વીનો પિંડ ૧,૮૦,000 યોજન મોટો સ્થૂળ હોય છે. ૪૬ શાન્ત સુધારસઃ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy