________________
કર્મોનો મનુષ્યજન્મમાં કેવી રીતે નાશ થશે ? એ કમને ભોગવવા માટે એ ગતિઓમાં જવું પડે, ત્યારે જ વિપાકોદયથી ભોગવી શકશે. એ ગતિઓને યોગ્ય કર્મોનો વિપાકોદય એ ગતિઓમાં જ હોય છે. આ રીતે તો આત્માનો મોક્ષ થઈ જ ન શકે. એટલા માટે પ્રદેશોદયથી કેટલાંક કમને ભોગવીને એમનો નાશ કરી શકાય છે એવું માનવું પડે. સમુદ્દઘાતમાં યોગઃ
સમુઘાતની આઠ સમયની સૂક્ષ્મ ક્રિયામાં કયા સમયે ક્યો યોગ થાય છે એ પણ બતાવી દઉં.
પ્રથમ સમયમાં ‘ઔદારિક કાયયોગ થાય છે. કેમ કે ત્યાં શરીરમાંથી આત્મપ્રદેશ નિરિત થાય છે. આત્મપ્રદેશ દંડાકૃતિ ધારણ કરે છે. આ ક્રિયામાં “ઔદારિક કાયયોગનું પ્રાધાન્ય હોય છે. પ્રથમ સમયમાં આત્મા “આહારી હોય છે અને આહાર ગ્રહણ કરવામાં “ઔદારિક કાયયોગ નિતાન્ત આવશ્યક છે. બીજા સમયમાં કાર્મહયોગથી મિશ્ર ઔદારિક યોગ થાય છે. બીજા સમયમાં આત્મપ્રદેશ કપાટાકૃતિમાં બદલાઈ જાય છે. આ ક્રિયામાં સ્થૂળ શરીરની સાથે સૂક્ષ્મ શરીર પણ પ્રયત્નશીલ બને છે. ત્રીજા સમયમાં કેવળ સૂક્ષ્મ શરીર જ પ્રયત્નશીલ બને છે. આત્મપ્રદેશમંથનાકૃતિ
બની જાય છે. આ પ્રક્રિયામાં કેવળ કામણ શરીર જ સક્રિય બને છે. v ચોથા સમયમાં જ્યારે આત્મા સમગ્ર લોકવ્યાપી બને છે, તે સમયકામણયોગવાળો
હોય છે. . પાંચમા સમયમાં જ્યારે આત્મપ્રદેશ સંકોચાઈ જાય છે, મંથાનરૂપમાં બદલાઈ જાય
છે, ત્યારે પણ કામણ કાયયોગ હોય છે. . છઠ્ઠી સમયમાં પણ આત્મપ્રદેશ જ્યારે કપાટરૂપ બને છે ત્યારે પુનઃ ઔદારિક
કાયયોગની સાથે કામણ શરીર કાર્યશીલ બને છે. v સાતમા સમયમાં જ્યારે આત્મપ્રદેશ વધારે સંકુચિત થાય છે અને દંડાકૃતિ બને છે
ત્યારે પણ સ્થળ અને સૂક્ષ્મ બંને શરીર સક્રિય બને છે. આઠમા સમયમાં જ્યારે આત્મપ્રદેશ શરીરસ્થ બની જાય છે ત્યારે કેવળ ઔદારિક કાયયોગ હોય છે. કામણ શરીર હોય છે ખરું, પણ તે સક્રિય રહેતું નથી. સમુઘાતમાં આહાર - અનાહારઃ
कार्मणशरीरयोगी चतुर्थक पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥ २७७ ॥
(પ્રશમતિ) લોકસ્વરૂપ ભાવના [
| ૫ |