________________
આ સમુદ્દાત પ્રયોગ દ્વારા કેવળજ્ઞાની મહાત્મા વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મની સ્થિતિ (વર્ષ, મહિનો, દિન, કલાક, પળ, સમય) ઘટાડીને આયુષ્યકર્મની સ્થિતિની બરાબર કરી દે છે. આ ત્રણે કર્મોની સ્થિતિ કયા ક્રમે ઘટે છે એનું સવિસ્તર વિવેચન પંચસંગ્રહ’, ‘કર્મપ્રકૃત્તિ’ આદિ ગ્રંથોમાં મળે છે.
વેદનીય, નામ, ગોત્રકર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ હોય છે. કલ્પનાથી જ એના અસંખ્ય ભાગ કરે. એ અસંખ્ય હિસ્સાઓમાંથી એક જ હિસ્સો બાકી રાખી અને શેષ હિસ્સાઓના પ્રથમ સમયમાં જ (દંડકૃતિ બનાવીને) નષ્ટ કરે. આ રીતે સ્થિતિનો નાશ કરીને, ત્રણે કર્મોના રસનો ક્ષય કરે છે. ત્રણે કર્મોમાં સ્થિતિ, રસના મનોમન કલ્પનાથી અનંત હિસ્સાઓ કરે. એક અનંતમો હિસ્સો બાકી રાખીને શેષ તમામ હિસ્સાઓનો નાશ કરે છે.
શેષ રહેલ - બચેલ સ્થિતિનો અસંખ્યાતમો ભાગ અને રસનો એક અનંતમો ભાગ, એના ક્રમશઃ અસંખ્ય અને અનંત હિસ્સા કલ્પનાથી જ કરે. એનો એક-એક હિસ્સો શેષ રાખીને બાકીના તમામ હિસ્સાઓને સમુદ્દાતના બીજા સમયમાં (કપાટાકૃતિ બનીને) નષ્ટ કરે છે.
૫-૬-૭-૮ સમયમાં સ્થિતિઘાત અને રસઘાતની પ્રક્રિયા ચાલતી રહે છે. અસંખ્યવાર સ્થિતિઘાત - રસઘાત થતા રહે છે. એમ કરતાં કરતાં વેદનીય વગેરે ત્રણ કર્મો, આયુષ્યની સ્થિતિ જેટલાં થઈ જાય છે, અન્તર્મુહૂર્ત પૂરું થઈ જાય છે, આયુષ્યકર્મ પૂરું થઈ જાય છે. સાથે સાથે વેદનીયાદિ કર્મ પણ પૂરાં થઈ જાય છે અને આત્મા વિદેહ બની જાય છે. સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની જાય છે.
પ્રશ્ન ઃ ભોગવ્યા વગરનાં કર્મોનો નાશ કેવી રીતે માની લેવામાં આવે ? કરેલાંબાંધેલાં કર્મ તો અવશ્ય ભોગવવાં જ પડે છે. એવો શું સિદ્ધાંત નથી ?
ઉત્તર ઃ કરેલાં યા બાંધેલાં કર્મો તો જીવને ભોગવવાં જ પડે છે, પરંતુ ભોગવવાની રીત એક જ નથી. જો કે તમે લોકો જાણો છો, અન્ય પદ્ધતિઓ પણ છે. (રસોદયનું બીજું નામ ‘વિપાકોદય’ પણ છે) જેમ કે અશાતા વેદનીયનો ઉદય વિપાક' થયો, શરીરમાં તાવ ચડ્યો, એ દુઃખ ભોગવવું પડે. પરંતુ કોઈ અશાતા વેદનીયકર્મ એમ ને એમ પણ ઉદયમાં આવી શકે છે; આત્મા એમ ને એમ અવ્યક્તરૂપે પણ ભોગવતો હોય છે કર્મને, કે જેમાં સુખદુઃખ પ્રગટરૂપે અનુભૂત ન હોય. એ પ્રકારના ઉદયનું નામ છે - ‘પ્રદેશોદય.’
તમામ કર્મોને ‘વિપાકોદય'થી ભોગવવામાં આવતા નથી. જો એવું માનીએ કે બાંધેલાં તમામ કર્મો વિપાકોદયથી ભોગવવાં પડે છે અને ભોગવીને જ નષ્ટ કરવાનાં હોય છે, તો તે શક્ય જ નહીં બને. દરેક જીવ પોતાના અસંખ્ય જન્મોમાં વિવિધ મનનાં પરિણામોથી, વિચારોથી નરક વગેરે ગતિઓમાં જે કર્મ બાંધ્યાં હશે એ
શાન્તસુધારસ : ભાગ ૩
૪૪