SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રશમરતિ’ ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતિએ કહ્યું છે - यस्य पुनः केवलिनः कर्मभव्यायुषोऽतिरिक्त तरम् । सः समुद्घातं भगवानथगच्छति तत् समीकर्तुम् ॥ २७३ ॥ સમુદ્યાત’ શબ્દની પરિભાષા સાંભળો. "M = 7ષ્ટ, ઇન = મને સમુદ્યાતિઃ | આત્માનું ઉત્કૃષ્ટ ગમન (લોકવ્યાપી) એનું નામ છે - સમુદ્ગાત. આગમોમાં “સમુદ્યાત’ સાત પ્રકારના બતાવવામાં આવ્યા છે - ૧. વેદનીય ૨. કપાય ૩. મારણાન્તિક ૪. વૈક્રિય છે. તેજસ્ ૬. આહારક અને ૭. કેવલી. આમાં પ્રથમ છ (વેદનીયથી આહારક) સમુદ્યાત છદ્મસ્થ આત્મા કરી શકે છે. આ છ સમુઘાતના પુદ્ગલ પ્રાણભૂત જીવ અને સત્ત્વનો ઘાત કરે છે, ઘર્ષણ કરે છે. સંઘટ્ટો કરે છે. પરિતાપ પેદા કરે છે, ઉપદ્રવ કરે છે, કિલામણ કરે છે. જેના શરીરમાંથી આ પુદ્ગલ નીકળે છે, એમને ત્રણ, ચાર યા પાંચ “ક્રિયાઓ” લાગે છે. પરંતુ કેવલી સમુદ્યાતમાં તો કેવળજ્ઞાનીના શરીરમાંથી આત્મપ્રદેશ બહાર નીકળે છેશરીરનો ત્યાગ કર્યા વગર, આત્મપ્રદેશ જ્યારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે અલગ-અલગ પ્રકારની આકૃતિઓ બને છે અને વિખેરાય છે. કેવલી સમુદ્રઘાતની પ્રક્રિયાઃ કેવળજ્ઞાની જ્યારે પોતાનું આયુષ્ય એક અન્તર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે આ સમુદ્યાતની વિશિષ્ટ પ્રક્રિયા કરે છે. આ પ્રયોગમાં કર્મબંધ થવાનો સવાલ જ નથી. પરંતુ કમની નિર્જરા થાય છે. કેવળ આઠ સમયનો જ આ સમુઘાતનો પ્રયોગ હોય છે, પરંતુ હોય છે અભુત અને આશ્ચર્યજનક! v પ્રથમ સમયમાં પોતાના શરીર જેવડી પહોળી અને ઊર્ધ્વલોક, અધોલોક જેવડી ઊંચી પોતાના આત્માની દંડાકૃતિ બનાવે છે. . બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં આત્માની કપાટાકૃતિ બનાવે છે. પ ત્રીજા સમયમાં આત્માની મંથાન - આકૃતિ બનાવે છે. 1 ચોથા સમયમાં સમગ્ર લોકવ્યાપી થઈ જાય છે. . પાંચમા સમયમાં મંથાનરૂપ થઈ જાય છે. - છઠ્ઠા સમયમાં કપાટરૂપમાં થઈ જાય છે. | સાતમા સમયમાં દારૂપ બને છે. i આઠમા સમયમાં આત્મા શરીરસ્થ થઈ જાય છે. લોકસ્વરૂપ ભાવના ૪૩ |
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy