________________
પુરુષાર્થ :
રામે પુરુષાર્થથી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તલમાંથી તેલ કેવી રીતે નીકળે છે? વેલ મકાન ઉપર કેવી રીતે ચડી જાય છે?પુરુષાર્થથી ! કહેવત છે કે “ટીપે ટીપે સરોવર ભરાઈ જાય છે.” પુરુષાર્થ વગર વિદ્યા, જ્ઞાન, ધન, વૈભવ પ્રાપ્ત થતાં નથી.
અહીં એક વાત મહત્ત્વપૂર્ણ છે - આ પાંચ કારણોમાંથી કોઈ એક કારણ કાર્યને પેદા કરી શકતું નથી. હા, એક કારણ મુખ્ય હોય છે. બીજાં ચાર ગૌણ કારણો હોય છે. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે - આ પાંચ કારણોનો સમુદાય મળ્યા વગર કાર્ય પૂર્ણ થતું નથી. ઉદાહરણ દ્વારા આ વાત સમજાવું છું..
તંતુઓથી કપડું બને છે, આ સ્વભાવ છે. કાલક્રમથી તંતુ બને છે. ભવિતવ્યતા હોયતો કપડું તૈયાર થાય છે, નહીં તો વિઘ્ન આવે છે અને કામ અધૂરું રહી જાય છે. કાંતનારનો પુરુષાર્થ અને ભોગવનારનું કર્મ જોઈએ. આ રીતે જીવના વિકાસમાં પાંચ કારણો કામ કરે છે.
૧. ભવિતવ્યતાના યોગથી જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. ૨. પુણ્યકર્મના ઉદયથી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. . ૩. કાલ ભવસ્થિતિ) પરિપક્વ થતાં એનું વીર્ય
૪. (પુરુષાર્થપ્રયત્ન) ઉલ્લસિત થાય છે અને ૫. ભવ્ય સ્વભાવ હોય તો તે મોક્ષ પ્રાપ્ત કરે છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયએ સમકિતની સઝાયમાં કહ્યું છે -
નિયતિવશે હળુકર્મી થઈને, નિગોદ થકી નિકળીયો. પુણ્ય મનુષ્યભવાદિ પામી, સદ્ગુરુને જઈ મળિયો. ભવસ્થિતિનો પરિપાક થયો તબ, પંડિત વીર્ય ઉલ્લેસીયો. ભવ્યસ્વભાવે શિવગતિ પામી શિવપુર જઈને વસીયો.
પ્રાણી! સમકિત -મતિ મન આણો
નય એકાંત ન તણો રે પ્રાણી. ૧૪ રાજલોકમાં આ પાંચ કારણો અનુસાર જીવ પુદ્ગલની સંગે નાચતો રહે છે. ગ્રંથકારે આ કારણોને વાજિંત્રોની ઉપમા આપી છે. વાજિંત્રોના તાલ ઉપર એ નૃત્ય કરતો જાય છે. જીવાત્મા જો નાટકના રૂપમાં લોકને જોતો રહે તો તે રાગ-દ્વેષ મોહ આદિથી બચતો રહે છે, માત્ર નાટક છે ! વાસ્તવિકતા કશી જ નથી. જે રીતે રંગભૂમિ ઉપર જન્મનું દ્રશ્ય હૂબહૂ ઊભું કરવામાં આવે છે, મૃત્યુનો સાક્ષાત્ અભિનય કરવામાં આવે છે, પરંતુ તે વાસ્તવિક નથી. એ તો માત્ર પાત્રોના
લોકસ્વરૂપ ભાવના