SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવર્તન પણ કાળકૃત છે. આ રીતે કાળદ્રવ્ય સમગ્ર સંસાર ઉપર છવાયેલું છે. હવે ગુણો દ્વારા જીવનું લક્ષણ બતાવું છું. ૧. સમ્યક્ત (તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂ૫) ૨. જ્ઞાન (મતિ-મુતાદિ રૂ૫) ૩. ચારિત્ર (ક્રિયાનુષ્ઠાન રૂ૫) ૪. વીર્ય (શક્તિવિશેષ રૂપ) પ. શિક્ષા (લિપિ-અક્ષરાદિ જ્ઞાનરૂપ) જીવના આ પાંચ મુખ્ય ગુણો જીવમાં જ ઉત્પન થાય છે. એટલા માટે એમ કહેવામાં આવે છે કે “જીવ આ ગુણોને પેદા કરે છે. એ રીતે જીવને ઉપકારી કહેવામાં આવે છે. આ રીતે લોકપુરુષ સર્વત્ર ધર્મ - અધર્મ - આકાશ, કાળ, જીવ અને પુદ્ગલ દ્રવ્યોથી પૂરી રીતે ભરેલો છે. હવે આગળ વધીએ છીએ. છઠ્ઠો શ્લોક સાંભળો. रंगस्थानं पुद्गलानां नटानां नानास्पैर्नृत्यतामात्मनां च । कालोद्योग-स्वस्वभावादिभावैः कर्मातोद्यैर्नर्तितानां नियत्या ॥ ६ ॥ પોતાનાં ભિન્ન ભિન્ન રૂપ લઈને કાળ, ઉદ્યોગ, સ્વભાવ, નિયતિ અને કર્મરૂપ વાજિંત્રોના તાલ પર નાચતાં પુદ્ગલ અને નાટક કરતા જીવાત્મા માટે આ લોક રંગમંડપ છે, નાટ્યશાળા છે. ૧૪ રાજલોક-નાટ્યશાળાઃ અહીં ગ્રંથકારે ૧૪ રાજલોકને એક નાટ્યશાળાની ઉપમા આપી છે. એ નાટ્યશાળામાં અનંત જીવાત્માઓ નાટક કરે છે અને કાળ સ્વભાવાદિ પાંચ કારરૂપ વાજિંત્રોના તાલ પર પુદ્ગલ નાચે છે. જે અમૂઢ આત્મા, સમગ્ર લોકમાં ઊર્ધ્વ, અધો અને તિર્યલોકમાં પરદ્રવ્યોનું નાટક જોતો રહે છે એ કદી ખિન્ન થતો નથી. અહીં ઉપાધ્યાયે પાંચ પ્રકારનાં વાજિંત્રો બતાવ્યાં છે, એ પહેલાં સમજાવું છું. કારણ કે એના તાલ ઉપર પુદ્ગલને સંગ જીવાત્માઓ નાચે છે, નાટક કરે છે. પાંચ કારણોઃ કારણ વગર કાર્ય થતું નથી. જેટલાં કાર્યો દેખાય છે. એમનાં કારણો હોય જ છે. જ્ઞાનીઓએ વિશ્વમાં એવાં પાંચ કારણો શોધ્યાં છે, જે સંસારના પ્રત્યેક કાર્યની | લોકસ્વરૂપ ભાવના |
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy