________________
પર્યાયથી ભિન્ન દ્રવ્ય નથી હોતું અને દ્રવ્યથી ભિન્ન પર્યાય નથી હોતો. બંને અનન્યભૂત હોય છે. અર્થાત્ પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ દ્રવ્યની ઉત્પત્તિ અને દ્રવ્યનો વિનાશ કહેવાય છે.
હવે પદ્રવ્યોનાં નામ સાંભળી લોઃ (૧) ધમસ્તિકાય (૨) અધમસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) કાળ
“અસ્તિકાયનો અર્થ સાંભળો. “અસ્તિ' એટલે પ્રદેશ અને કાય' એટલે સમૂહ = અસ્તિકાય, એટલે પ્રદેશોનો સમૂહ. છ દ્રવ્યોનું અવસ્થાનઃ
लोकालोकव्यापकमाकाशं, मर्त्य लौकिक कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेक जीवो वा ॥
* (પ્રશમતિ, ર૨૩) આકાશદ્રવ્ય લોક અને અલોકમાં વ્યાપક છે. કાલનો વ્યવહાર મનુષ્યલોકમાં જ છે. બાકીનાં ચારે દ્રવ્યો લોકવ્યાપી છે. એક જીવ પણ લોકવ્યાપી બની શકે છે - કેવલી સમુદ્દઘાત કરતી વખતે. લોક અને અલોક':
આ બંને શબ્દો ક્ષેત્રની અપેક્ષાએ જૈનદર્શનમાં પ્રયોજિત છે. આ લોક અને અલોક છ દ્રવ્યોનાં આધારભૂત ક્ષેત્રો છે. ‘આકાશદ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપક છે. (લોકની બહારનું ક્ષેત્ર “અલોક' કહેવાય છે.) અલોકમાં માત્ર આકાશદ્રવ્ય જ હોય છે, જ્યારે લોકમાં છ દ્રવ્યોનું અસ્તિત્વ હોય છે.
કાળ દ્રવ્યનું અસ્તિત્વ સમગ્ર લોકમાં નથી હોતું. તેનું અસ્તિત્વ કેવળ મર્યલોકમાં જ છે અથતિ અઢી દ્વીપમાં જ છે, કારણ કે કાળકત વ્યવહાર સૂર્ય-ચંદ્રના પરિભ્રમણ પર આધારિત છે અને સૂર્ય-ચંદ્રનું પરિભ્રમણ અઢી દ્વીપમાં જ હોય છે.
(૧) જંબૂદ્વીપ (૨) ધાતકીખંડ અને અડધો પુષ્કરદ્વીપ-આને અઢી દ્વીપ કહે છે. આ અઢી દ્વીપમાં જ મનુષ્યો હોય છે અને ત્યાં કાળનો વ્યવહાર થાય છે.
પ્રશ્નઃ એક જીવ પણ લોકવ્યાપી બની શકે છે, એવું જે કહેવામાં આવ્યું છે, એ કઈ અપેક્ષાએ?
ઉત્તરઃ કેવલી સમુદ્યાત'ની વિશિષ્ટ ક્રિયામાં જીવ લોકવ્યાપી બને છે. કેવલી સમુદ્દઘાત’નું વર્ણન કાલે કરીશ. “કેવલી સમુદ્દઘાતની વિશિષ્ટ ક્રિયા માત્ર કેવળજ્ઞાની આત્માઓ જ કરે છે. આ ક્રિયા દરમ્યાન આત્માના પ્રદેશો સમગ્ર લોકમાં ફેલાઈ જાય છે. એ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે કે “એક જીવ પણ
[ ૩૦
છે
શાન્ત સુધારસ : ભાગ ૩