________________
જીવોનો વસવાટ
નારકી અને ભવનપતિ દેવ અધોલોકમાં હોય છે. - વ્યંતર, મનુષ્ય તિર્યંચ, જ્યોતિષ્ક દેવ, વનસ્પતિકાય, અગ્નિકાય અને અસંખ્ય
દ્વિીપ-સમુદ્ર તિલોકમાં હોય છે. i વૈમાનિક દેવ અને સિદ્ધાત્મા ઊદ્ગલોકમાં હોય છે. લોકાન્ત - સિદ્ધશિલાલ
સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન દૂર સિદ્ધશિલા આવેલી છે. એ ૪૫ લાખ યોજન વિસ્તૃત છે. મધ્યભાગમાં આઠ યોજન મોટી છે. એ પછી દિશાવિદિશામાં ઓછી થતી જાય છે એટલે કે પાતળી થતી જાય છે. સિદ્ધશિલાનાં આમ તો બાર નામ છે - ઈષતુ, ઈષ~ાગુભારા, તન્વી, તનુતત્વિકા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાઝ, સ્તુપિકા, લોકાપ્રતિવાહિની અને સર્વપ્રાણભૂત - જીવ સત્ત્વસુખાવહા.
જન્મ-જરા-મરણ રોગથી સર્વથા અને સર્વદા મુક્ત થયેલ આત્મા લોકના
અગ્રભાગમાં ગયેલ વિમલ એવા સિદ્ધ ક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધ બને છે. I લેશ્યામુક્ત, યોગમુક્ત, કર્મમુક્ત અને દેહમુક્ત બનેલ આત્મા જન્મ, જરા, મૃત્યુ
અને રોગથી મુક્ત છે. હવે ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં એનો જન્મ નહીં. થાય. જન્મ જ ન હોય તો પછી રોગ તો થશે જ કેવી રીતે? વૃદ્ધત્વનો સવાલ નહીં અને મોતનો તો કોઈ ડર જ નહીં! I સિદ્ધશિલાના કેવળજ્ઞાનને સાકારોપયોગ’ કહેવાયું છે. તમામ લબ્ધિઓની પ્રાપ્તિ “સાકારોપયોગમાં માનવામાં આવી છે. સિદ્ધ થવું એ પણ એક પ્રકારની લબ્ધિ જ છે. આથી પ્રથમ સમયમાં મુક્તાત્મા સાકારોપયોગ (જ્ઞાનોપયોગ)માં
હોય છે. બીજા સમયમાં મુક્તાત્મા અનાકારોપયોગ (દર્શનોપયોગ)માં હોય છે. મુક્તાત્માનું સુખઃ'
જો કે મુક્તાત્માના સુખનું વર્ણન કરવું શક્ય જ નથી. છતાં પણ ‘નમો સિદ્ધાણં'નો જાપ કરનાર આત્મા પોતાની તોતડાતી વાણીમાં એનું વર્ણન કર્યા સિવાય રહી શકતો નથી. મુક્ત આત્માનાં ત્રણ વિશેષણો આપવામાં આવ્યાં છે - (૧) સાદિ અનન્ત, (૨) અનુપમ (૩) અવ્યાબાધ. (૧) આદિ એટલે પ્રારંભ. સહ-આદિ એટલે પ્રારંભયુક્ત. મુક્ત આત્માનું સુખ
પ્રારંભયુક્ત હોય છે. એના સુખની શરૂઆત થાય છે. એનું સુખ અનાદિ નથી. સર્વ કર્મોનો ક્ષય થાય છે ત્યારે આત્મામાં સુખની ઉત્પત્તિ થાય છે. એટલા માટે
૨૬.
શાન્ત સુધારસઃ ભાગ ૩