SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ એને ‘સાદિ કહેવામાં આવે છે. સાદિ છે પરંતુ અનંત છે. અમર આત્માનું સુખ અનંત જ હોય છે. (૨) દુનિયામાં એવી કોઈ ઉપમા-તુલના નથી કે જે મુક્ત આત્માના સુખને આપી ન શકાય! આથી મુક્તાત્માનું સુખ “અનુપમ’ છે. (૩) મુક્ત આત્માનું સુખ અવ્યાબાધ છે. ત્યાંના સુખમાં કોઈ વિબ હોતું નથી, રુકાવટ હોતી નથી. પીડાનું નામોનિશાન હોતું નથી. સંઘર્ષ નથી હોતો. જો અમૂર્ત આકાશને આઘાત પહોંચાડી શકાય તો અમૂર્તિ - અરૂપી આત્માને બાધા પહોંચી શકે. કોઈ પણ પ્રકારના દુઃખરહિત, કોઈ પણ પ્રકારના મિશ્રણ વગરનું - નિર્ભેળ સુખ હોય છે એ. શુદ્ધાત્માનું સ્વરૂપ ગ્રંથકારે ત્રીજા શ્લોકમાં કહ્યું છે? સિક્યોતિત્રિો વચ્ચે ત્રિા | સિદ્ધ આત્માઓ જ્યોતિ સ્વરૂપ છે. સિદ્ધાત્માના વિષયમાં કહેવામાં આવ્યું છે: आकाशवदरूपोऽसौ चिदूपो नीरुजः शिवः । . सिद्धिक्षेत्रगतोऽनन्तो नित्यः शं परमश्नुते ॥ (યોગાસરે ૨/૧૨ ) આકાશની જેમ અરૂપી, જ્ઞાનસ્વરૂપી, નીરોગી, મંગલકારી, સિદ્ધક્ષેત્રમાં રહેલો, અનંત અને નિત્ય પરમ સુખ સિદ્ધ પરમાત્મા ભોગવે છે. अहमिक्को खलु सुद्धो दंसण-णाणमइओ सदारुवी । णवि अस्थि मज्झ किंचि विअण्गं परमाणुमित्तं वि ॥ (સમયસર/રૂ૮) અવિદ્યાથી મુક્ત આત્મા પોતાને પુદ્ગલથી ભિન્ન સમજતાં વાસ્તવમાં હું એક છું શુદ્ધ છું દર્શન-જ્ઞાનમય છું અને નિરાકાર છું બીજો કોઈ પરમાણુ પણ મારો નથી.' એવું વિચારે છે. મોક્ષે રહેલ અનન્ત આત્માઓ આ રીતે શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને અરૂપી-અનામી હોય છે. લોકાન્તમાં રહેલ અનન્ત સિદ્ધોનું ચિંતન આ રીતે કરતા રહેવાનું છે. આજે બસ, આટલું જ. | લોકસ્વરૂપ ભાવના દૂ [ ૧૭ ]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy