________________
કરવામાં આવે છે. જે ક્રિયા ચાલુ છે તે વર્તમાનકાળ, જે થવાની છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીત કાળ છે. જે કાળગણનામાં આવી શકે છે તે સંખ્યય છે. જે ગણનામાં ન આવતાં માત્ર અનુમાનથી જાણવામાં આવે છે તે અસંખ્યય છે. જેમ કે પલ્યોપમ, સાગરોપમ આદિ અને જેનો અન્ત નથી તે અનંત છે.
આ રીતે મધ્યલોકનો પરિચય કરાવ્યો. હવે ઊદ્ગલોકનું પણ વિવેચન કરવાનું છે. ત્રીજા શ્લોકમાં ઊર્ધ્વલોકની વાત અને સિદ્ધ જ્યોતિ-મોક્ષની વાત કહી છે.
लोकोऽथोघे ब्रह्मलोके धुलोके यस्य व्याप्तौ कर्पूरौ पञ्चरज्जुः । लोकस्यान्तो विस्तृतो रज्जुमेकां ..
सिद्धज्योतिश्चित्रको यस्य मौलिः ॥ ३ ॥ ઊર્ધ્વલોકમાં, બ્રહ્મ-દેવલોકની પાસે લોકપુરુષની બે કોણીઓનો વિસ્તાર પાંચ રાજ પ્રમાણ છે. એની ઉપર એક રાજલોક પછી લોકાન્ત આવે છે, જેના શીર્ષસ્થાન પર સિદ્ધ પરમાત્માની જ્યોતિ બિરાજમાન છે. ચૌદ રાજલોકઃ
બંને પગ પહોળા કરીને અને કટિપ્રદેશ ઉપર બે હાથ ટેકવીને ઊભા રહેલા મનુષ્ય જેવી આકૃતિવાળો “લોક છે. આ લોક કોઈના દ્વારા ઉત્પન થયો નથી તેમ જ કોઈના દ્વારા ધારણ કરવામાં આવ્યો નથી. આ લોક નિરાધાર છે. લોકાકાશમાં સ્થિત છે, સ્વયંસિદ્ધ છે. . આ લોકમાં અધોલોકનો આકાર ઊંધા રાખવામાં આવેલા શરાવ (શકોરા)ના.
આકાર જેવો છે. (ઉપર સંક્ષિપ્ત, નીચે વિશાળ) પ તિય લોકનો આકાર થાળીના આકાર જેવો છે અને ઊર્ધ્વલોકનો આકાર ઊભા રાખવામાં આવેલા શરાવ ઉપર ઊંધા મૂકવામાં આવેલા શરાવના આકાર જેવો
છે. (શરાવસંપુટ જેવો). 1 આ લોક સાતમી નરક પૃથ્વીના તલભાગથી ઉપર છેક સિદ્ધશિલા પર્વત છે. આ લોક ૧૪ રાજલોક પ્રમાણ ઊંચો છે.
સાતમી નરકના તલભાગમાં આ લોક ૭ રાજ પ્રમાણ પહોળો છે. 1 મધ્યલોક – તિર્યગુલોક એક રાજ પ્રમાણ પહોળો છે. - બ્રહ્મદેવલોકની પાસે પાંચ રાજ પ્રમાણ પહોળો છે. પ સિદ્ધશિલાની પાસે એક રાજ પ્રમાણ પહોળો છે.
| લોકસ્વરૂપ ભાવના
૨૫