________________
છે. પ્રત્યેક દાઢા ઉપર મનુષ્યોની વસતિવાળા સાત-સાત ક્ષેત્રો છે. આ ક્ષેત્રો લવણસમુદ્રમાં આવેલાં હોવાથી અન્તરૂદ્વીપના રૂપે પ્રસિદ્ધ છે. તેમની સંખ્યા છપ્પન છે. એમાં યુગલિક મનુષ્યો વસે છે. ઘાતકીખંડ અને પુષ્કરાઈ દ્વીપ
જંબૂદ્વીપની અપેક્ષાએ ધાતકીખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરની સંખ્યા દ્વિગુણિત છે. અર્થાત્ ત્યાં બે મેરુ, ચૌદ વર્ષ અને બાર વર્ષધર છે. પરંતુ દરેકનાં નામ જબૂદીપવર્તી મેરુ, વર્ષ અને વર્ષધરની જેમ જ છે.
વલય આકૃતિના ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ એવા બે ભાગ છે. આ વિભાગ બે પર્વતોથી થાય છે, જે દક્ષિણોત્તર વિસ્તૃત છે અને બાણની જેમ સીધા છે. પ્રત્યેક વિભાગમાં એક-એક મેર, સાત-સાત વર્ષ અને છ-છ વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કંઈ જંબૂદ્વીપમાં છે તે બધું જ ધાતકીખંડમાં બમણું
છે.
ધાતકીખંડને પૂર્વાધ અને પશ્ચિમાધમાં વિભક્ત કરનાર દક્ષિણોત્તર વિસ્તૃત અને ઈક્વાકારબે પર્વતો છે તથા પૂર્વાર્ધ અને પશ્ચિમાધમાં પૂર્વ-પશ્ચિમમાં ફેલાયેલા છ-છ વર્ષધર પર્વતો છે. આ બધા એક તરફથી કાલોદધિને અને બીજી તરફથી લવણોદધિને સ્પર્શ કરે છે. પૂર્વ અને પશ્ચિમાધિમાં સ્થિત છ-છ વર્ષધર પર્વતોને પડાની નાભિમાં લાગેલા આરાઓની ઉપમા આપવામાં આવે તો એ વર્ષધર પર્વતોથી વિભક્ત થનાર ભરતાદિ સાત ક્ષેત્રોને આરાઓની વચ્ચેના અંતરની ઉપમા આપી શકાય.
ધાતકીખંડમાં મેર, વર્ષ અને વર્ષધર પર્વતોની જે સંખ્યા છે, તે જ પુષ્કરાઈ દ્વિીપમાં પણ છે. ત્યાં પણ બે મેર, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર પર્વતો છે, જે ઈષ્પાકાર પર્વતો દ્વારા વિભક્ત પૂર્વ અને પશ્ચિમાર્ધમાં અવસ્થિત છે. આ રીતે અઢી દ્વીપમાં પાંચ મેરુ, ત્રીસ વર્ષધર પર્વતો અને પાંત્રીસ વર્ષ (ક્ષેત્ર) છે. ઉક્ત પાંત્રીસ ક્ષેત્રોનાં પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં પાંચ દેવકુર, પાંચ ઉત્તરકુરુ અને એકસો સાઠ વિજય છે. અન્તરૂદ્વીપ માત્ર લવણસમુદ્રમાં જ છે. એટલે છપ્પન જ છે.
પુષ્કરવર દ્વીપમાં માનુષ્યોત્તર નામનો એક પર્વત છે, જે પુષ્કરવર દ્વિીપની બરાબર મધ્યમાં કિલ્લાની જેમ ગોળાકાર છે અને મનુષ્યલોકને ઘેરીને છે. જંબૂદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપ - આ અઢી દ્વીપ તથા લવણસમુદ્ર, કાલોદધિ - આ બે સમુદ્રો આ જ ક્ષેત્ર મનુષ્યલોક' કહેવાય છે.
હવે તમને દ્વીપ-સમુદ્રનાં માપ “અંગુલથી બતાવીશ. એની પહેલાં ત્રણ પ્રકારના અંગુલ સમજાવું છું. [ લોકસ્વરૂપ ભાવના
૧૯]