________________
જબૂદ્વીપમાં મુખ્યતયા સાત ક્ષેત્રો છે. એમાં પહેલું ભરત દક્ષિણ તરફ છે. ભરતની ઉત્તરમાં હૈમવત, હૈમવતની ઉત્તરમાં હરિ, હરિની ઉત્તરમાં વિદેહ, વિદેહની ઉત્તરમાં રમ્ય, રમકની ઉત્તરમાં હૈરમ્યવત અને હૈરણ્યવતની ઉત્તરમાં ઐરાવત ક્ષેત્ર છે. વ્યવહારસિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુપર્વત સાતે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં છે. છ પર્વતો:
સાતે ક્ષેત્રોને એકબીજાથી અલગ કરનારા છ પર્વતો છે, જે વર્ષધર પર્વત કહેવાય છે. આ બધા પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમાવાન પર્વત છે. હૈમવત અને હરિવર્ષનું વિભાજન મહાહિમવાન પર્વત કરે છે. હરિવર્ષ અને વિદેહનો વિભાજક નિષધ પર્વત છે. વિદેહ અને રમ્યકુવર્ષનો વિભાજક નીલપર્વત છે. રમ્યક અને હૈરણ્યવતનું વિભાજન રુક્ષ્મીપર્વત કરે છે. હૈરણ્યવત અને ઐરાવતનો વિભાજક શિખરી પર્વત છે.
ઉપર બતાવેલાં સાતે ક્ષેત્રો થાળીની આકૃતિના જંબૂઢીપમાં પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી વિસ્તૃત લાંબા પટના રૂપમાં એક પછી એક આવેલાં છે. . દેવકુરુ- ઉત્તરકુરુઃ - વિદેહ ક્ષેત્રને રમક ક્ષેત્રથી જુદું પાડે છે નીલપર્વત અને હરિવર્ષ ક્ષેત્રને નિષધ પર્વત વિભક્ત કરે છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલપર્વતની વચ્ચેનો અર્ધચંદ્રાકાર ભાગ ઉત્તરકુરુ છે, જેની પૂર્વ-પશ્ચિમ સીમા ત્યાંના બે પર્વતો દ્વારા નિશ્ચિત થાય છે , તથા મેરુ અને નિષધ પર્વતની વચ્ચેનો એવો જ અર્ધચંદ્રાકાર ભાગ દેવકુરુ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ આ બંને ક્ષેત્રો વિદેહ - મહાવિદેહના ભાગ છે, પરંતુ એ ક્ષેત્રોમાં યુગલિકોની વસ્તી હોવાથી એને ભિન્ન ભિન્ન રૂપે ઓળખવામાં આવે છે. દેવકુરુ અને ઉત્તરકુરુના ભાગના ક્ષેત્ર છોડતાં મહાવિદેહના અવશિષ્ટ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સોળ-સોળ વિભાગો છે. એ વિભાગો વિજય' કહેવાય છે. આ રીતે મેરુપર્વતની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ બધા મળીને ૩૨ વિજય છે. છપ્પન અન્તદ્વીપ
જબૂઢીપના ભરતક્ષેત્રની સીમા પર આવેલા હિમવાન પર્વતના બંને છેડા પૂર્વપશ્ચિમ લવણસમુદ્રમાં ફેલાયેલા છે. એ રીતે ઐરાવત ક્ષેત્રની સીમા પર સ્થિત શિખરી પર્વતના બંને છેડા પણ લવણસમુદ્રમાં ફેલાયેલા છે.
પ્રત્યેક છેડો બે વિભાગમાં વિભાજિત થતાં બંને પર્વતોના બધા મળીને આઠ ભાગ લવણસમુદ્રમાં આવે છે. ઘઢોની આકૃતિ હોવાથી તેમને “ઘઢા” કહેવામાં આવે
[ ૧૮
શાન્તસુધારસઃ ભાગ ૩]