________________
કર્મબંધ કરતો નથી. | પરંતુ જડબુદ્ધિ મનુષ્ય જિનપ્રવચનરૂપ કલ્પવૃક્ષનો ત્યાગ કરીને કુમત
ઉન્માર્ગના બાવળવૃક્ષને વળગે છે, બાઝે છે, શું કરીએ? . પ્રગાઢ પાપકર્મોના ઉદયથી જીવ હિતકારી ઉપદેશ સાંભળતો નથી. એવા લોકો
ઉપર રોષ ન કરવો, પણ માધ્યચ્ય ભાવના રાખવી. પુણ્યકર્મ વગર સન્માર્ગ મળતો નથી અને ધર્મ ભાવના આવતી નથી.
પાપકર્મના ઉદયથી જીવમાં પ્રબળ મૂઢતા પેદા થાય છે. I કોઈ વ્યક્તિ આવીને પ્રશંસા કરે છે, કોઈ નિંદા કરે છે, પરંતુ મધ્યસ્થ વૃત્તિવાળો
સાધક રાગદ્વેષ કરતો નથી. સમતામાં લીન રહે છે. . આ માધ્યસ્થ ભાવના આધ્યાત્મિક ગુણ છે, શ્રેષ્ઠ ગુણ છે. એનાથી જીવ શિવ
બને છે. I આ સઝાયની રચના કુશલચંદ્રસૂરિજીના શિષ્ય દીપદેવ મુનિએ કરી છે.
આ રીતે આજે માધ્યચ્ય ભાવનાનું વિવેચને પૂર્ણ કરું છું. એની સાથે ૧૬ ભાવનાઓનું વિવેચન પૂર્ણ થાય છે. આ પ્રવચનોમાં મારી મતિમંદતાવશ અથવા પ્રમાદના કારણે નિાશાથી વિપરીત કંઈપણ કહેવાયું હોય તો એ માટે મિચ્છામિ દુક્કડમ્!
આજે બસ, આટલું જ.
[૩૧૨
,
શાન્ત સુધારસ ભાગ ૩