SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધ કરતો નથી. | પરંતુ જડબુદ્ધિ મનુષ્ય જિનપ્રવચનરૂપ કલ્પવૃક્ષનો ત્યાગ કરીને કુમત ઉન્માર્ગના બાવળવૃક્ષને વળગે છે, બાઝે છે, શું કરીએ? . પ્રગાઢ પાપકર્મોના ઉદયથી જીવ હિતકારી ઉપદેશ સાંભળતો નથી. એવા લોકો ઉપર રોષ ન કરવો, પણ માધ્યચ્ય ભાવના રાખવી. પુણ્યકર્મ વગર સન્માર્ગ મળતો નથી અને ધર્મ ભાવના આવતી નથી. પાપકર્મના ઉદયથી જીવમાં પ્રબળ મૂઢતા પેદા થાય છે. I કોઈ વ્યક્તિ આવીને પ્રશંસા કરે છે, કોઈ નિંદા કરે છે, પરંતુ મધ્યસ્થ વૃત્તિવાળો સાધક રાગદ્વેષ કરતો નથી. સમતામાં લીન રહે છે. . આ માધ્યસ્થ ભાવના આધ્યાત્મિક ગુણ છે, શ્રેષ્ઠ ગુણ છે. એનાથી જીવ શિવ બને છે. I આ સઝાયની રચના કુશલચંદ્રસૂરિજીના શિષ્ય દીપદેવ મુનિએ કરી છે. આ રીતે આજે માધ્યચ્ય ભાવનાનું વિવેચને પૂર્ણ કરું છું. એની સાથે ૧૬ ભાવનાઓનું વિવેચન પૂર્ણ થાય છે. આ પ્રવચનોમાં મારી મતિમંદતાવશ અથવા પ્રમાદના કારણે નિાશાથી વિપરીત કંઈપણ કહેવાયું હોય તો એ માટે મિચ્છામિ દુક્કડમ્! આજે બસ, આટલું જ. [૩૧૨ , શાન્ત સુધારસ ભાગ ૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy