SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. કેવળજ્ઞાન અપ્રતિહત હોય છે. આ જ્ઞાનમાં પૃથ્વી, પર્વત, સાગર રુકાવટ કરી શકતા નથી. વીતરાગ બન્યા વગર કેવળજ્ઞાની બની શકાતું નથી. એનું તાત્પર્ય એ છે કે જેમ જેમ રાગદ્વેષ ઓછા થાય છે તેમ તેમ ઉદાસીનભાવ વધતો જાય છે અને તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે. સંપૂર્ણ રાગદ્વેષ નષ્ટ થઈ જતાં કેવળજ્ઞાનનો શાશ્વત પ્રકાશ આત્મામાં પ્રકટ થાય છે. એ પ્રકાશ લોકાલોક વ્યાપી હોય છે. જો તમે એવા પ્રકારનું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માગતા હો, તો વિનયવિજયજી રચિત આ શાન્તસુધા૨સનું અમૃતપાન કર્યા કરો. માધ્યસ્થ્ય ભાવના - એક સજ્ઝાય ઃ ભિન્ન ભિન્ન કર્મે કરી, ભિન્ન ભિન્ન મતિ થાય, ભિન્ન ભિન્ન સવિ જીવને, એહ કર્મનો ન્યાય. શિષ્યાદિક પરિવાર તે, વરતે કદી અનુકૂળ, કદા કર્મે વ્યાકુળ બને, વરતે તે પ્રતિકૂળ. ★ ★ ભવિયણ ! સોળમી ભાવના ભાવો, મધ્યસ્થભાવ ઉદાર રે ! સમભાવે રહેતાં નવ બાંધે ચેતન બંધ પ્રકાર રે... ભવિયણ. ૧ જડમતિ પ્રવચન સુરતરુ ત્યાગી કુમત ખદિરને બાઝે રે, દુર્ગતિના દુઃખથી નવિ છૂટે, મદ અભિમાને ગાજે રે... ભવિયણ. ૨ કર્મબહુલતાથી ન વિચારે, હિતશિક્ષા હિતકારી રે, તેહની ઉપર રોષ ન કીજે, મધ્યસ્થવૃત્તિ ધારી રે... ભવિયણ. ૩, પુણ્ય વિના સત્પંથ ન સૂઝે, ધર્મ ભાવના નહીં આવે રે, પાપ ઉદયના પ્રબલ પ્રતાપે, મૂઢપણું પ્રગટાવે રે... ભવિયણ. ૪ વંદક જન આવી ગુણ ગાવે, નિંદક નિંદા રચાવે રે, રાગ-દ્વેષ અંતર નિવ લાવે, શમરસ ભાવ જગાવે રે... ભવિયણ. ૫ એ અધ્યાત્પ ગુણ અભિરામી, જેથી વરે શિવનારી રે, કુશલચંદ્રસૂરિ સમતાધારી, દીપદેવ હિતકારી રે... ભવિયણ. ૬ હવે આ સજ્ઝાયનો અર્થ સંક્ષેપમાં સમજાવું છું. ભિન્ન ભિન્ન જીવ પોતપોતાના કર્મોને કારણે ભિન્ન ભિન્ન બુદ્ધિવાળા થાય છે. શિષ્યાદિક પરિવાર કર્મોને કા૨ણે કોઈ વાર પ્રતિકૂળ તો કોઈ વાર અનુકૂળ થાય છે. હે ભવિક જન ! આ સોળમી મધ્યસ્થ ભાવના છે. સમભાવમાં જીવ રહે તો માધ્યસ્થ ભાવના ૩૧૧
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy