SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સમાગમ કરતા રહો. ભેદજ્ઞાનનો અનુભવ થશે. ક્રોધી, માની, માયી, લોભી, પુદ્ગલરાગે હોય । પુદ્ગલસંગ વિના એ ચેતન, શિવનાયક નિત જોય ॥ પુદ્ગલરાગથી જ મનુષ્ય કષાયી બને છે. પુદ્ગલસંગ છૂટી જતાં એ મોક્ષગામી બની જાય છે. જન્મ જરા મરણાદિક ચેતન, નાનાવિધ દુઃખ પાવે પુદ્ગલસંગ નિવારત તિણ દિન, અજરામર હો પાવે પુદ્ગલથી જ આત્મા જન્મ-જરા-મૃત્યુ આદિ વિવિધ દુઃખો પામે છે. જ્યારે પુદ્ગલસંગ દૂર થઈ જાય છે, તો આત્મા અજર અમર થઈ જાય છે. પુદ્ગલરાગ કરી ચેતન કું, હોત કર્મકો બંધ । પુદ્ગલરાગ વિસારત મનથી, નિરાગ નિબંધ ॥ કર્મબંધ પણ પુદ્ગલરાગથી થાય છે. મનમાંથી પુદ્ગલરાગ નીકળી જવાથી આત્મા વિરાગી અને નિર્બંધ થઈ જાય છે. પુદ્ગલ-પિંડ, લોલુપી ચેતન, જગ મેં રાંક કહાવે । પુદ્ગલનેહ નિવાર પલક મેં, જગપતિ બિરુદ ધરાવે ॥ પૌદ્ગલિક સુખોનો લોલુપી જીવ જગતમાં પણ રંક કહેવાય છે, પણ જ્યારે એ પુદ્ગલપ્રેમ ત્યજી દે છે ત્યારે જગતમાં યશ પામે છે, સુખ પામે છે. કાલ અનંત નિગોદધામ મેં, પુદ્ગલરાગે રહિયો । દુઃખ અનંત નરકાદિકથી તું અધિક બહુવિધ સહિયો I અનંતકાળ તેં નિગોદમાં વિતાવ્યો - તે પુદ્ગલરાગને કારણે. ત્યાં તેં નકાદિક ગતિઓનાં દુઃખોથી વધારે અનેક પ્રકારનાં દુઃખો સહન કર્યાં છે. લહી ક્ષયોપમ મતિજ્ઞાન કો, પંચેન્દ્રિય જબ લાધી । વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ઘોર નરકગતિ સાધી. || મતિજ્ઞાનનો કંઈક ક્ષયોપમ થતાં તું પંચેન્દ્રિય થયો, પરંતુ પુદ્ગલરાગથી વિષયાસક્ત બન્યો અને નરકે ગયો. પુગલિક સુખ સેવત અહનિશ, મન-ઇન્દ્રિય ન ધાવે । જિમ ઘૃત મધુ આહુતિ દેતાં, અગ્નિ શાન્ત નવિ થાવે જે રીતે અગ્નિમાં ઘી અને મધની આહુતિ આપતાં અગ્નિ શાન્ત થતો નથી, પ્રદીપ્ત થાય છે, એ રીતે પૌદ્ગલિક સુખ ભોગવવાથી મન અને ઇન્દ્રિયો કદી તૃપ્ત થતા નથી. માધ્યસ્થ્ય ભાવના ૩૦૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy