________________
પિતા માટે રજમાત્ર ગુસ્સો આવ્યો ન હતો. એના મનમાં... હાય, હાય, મારું સુખ લૂંટાઈ ગયું..” એવી કોઈ પીડા પણ ન થઈ અને જ્યારે તે પોતાના ગુરુદેવની પાસે પહોંચી ત્યારે ગુરુદેવે એને નિર્દોષ, નિષ્પાપ ધર્મ આરાધના બતાવી કે જેથી મયણાસુંદરીએ ઉંબરરાણાનાં કોઢને જડમૂળથી મટાડી દીધો ! તન અને મનનાં તમામ સંતાપોને દૂર કરવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞ વચનમાં જ - શાસ્ત્રોમાં જ છે.
જો સાધક આત્મા મોક્ષમાર્ગનો યાત્રી આત્મા પોતાની મોક્ષયાત્રાને નિરાપદ બનાવવા માગતો હોય, તો એણે એવાં સૂત્ર-શાસ્ત્રોનું જ અધ્યયન કરવું જોઈએ. મનને રાગદ્વેષ અને મોહથી ભરી દેનારાં પુસ્તકોને સ્પર્શ પણ ન કરવો જોઈએ. આવા પ્રકારના વાચનથી મન રોગી બને છે, બીમાર બને છે. અશુભ પાપવિચારોનો કાફલો ઊતરી આવે છે મનમાં. એનાથી અનંત અનંત પાપકર્મો બંધાય છે અને પરિણામ સ્વરૂપ જીવ દુર્ગતિનાં ધરુણ દુઃખોનો શિકાર બને છે. શાસ્ત્રોની વાતો સર્વકાળ ઉપકારી છેઃ
જે સર્વજ્ઞ નથી, વીતરાગ નથી; એમનાં પુસ્તકો, એમનાં ગ્રંથો કદી ય ન વાંચો. એમનાં વચનો પણ કદી ન સાંભળો. જે સર્વજ્ઞ હતા, વીતરાગ હતા પૂર્ણજ્ઞાની હતા, એવા પરમ પુરુષોનાં વચનો જે ગ્રંથોમાં ગુંફિત છે એ ગ્રંથોનું અધ્યયન કરો. ‘શાસ્ત્રોની વાતો તો પુરાણી થઈ ગઈ. શાસ્ત્રોની વાતોમાં તો ઘણી બધી મિલાવટ થઈ ગઈ છે. આજના સમયમાં શાસ્ત્રોની વાતો શું કામ કરે? શા કામમાં આવે?” આવી બેહુદી વાતોમાં ફસાવું નહીં સત્ય સદૈવ નિત્ય નૂતન રહે છે. એ કદી પુરાણું થતું જ નથી.
આજના સમયમાં તો સર્વજ્ઞનાં વચનો જ સાચી સમજ આપી શકે છે. અનેક દુઃખ, ત્રાસ, ચિંતા, વ્યથા અને પીડાના મહાસાગરમાં ડૂબતા મનુષ્ય માટે એક સર્વજ્ઞ-વચન જ ત્રાણ-શરણરૂપ છે. એ જ એને બચાવી શકે છે. સાચી શાન્તિ, સમતા. તૃપ્તિ અને પ્રસન્નતા સર્વજ્ઞ શાસનનાં શાસ્ત્ર-સૂત્રોથી જ મળી શકે છે, એટલા માટે શાસ્ત્રોનો આદર કરો. જ્ઞાનસારમાં કહેવામાં આવ્યું છેઃ शास्त्रे पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः ।। पुरस्कृते ततस्तस्मिन् नियमात् सर्वसिद्धयः ॥ १८८ ॥ શાસ્ત્રોનો પુરસ્કાર કરવો એટલે વીતરાગનો પુરસ્કાર કરવો અને વીતરાગનો પુરસ્કાર કરવો એટલે નિશ્ચિત જ સર્વસિદ્ધિની પ્રાપ્તિ. ષોડશક પ્રકરણમાં કહ્યું છે
| માધ્યસ્થ ભાવના
છે
૨૫]