SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં અંધ-મૂક-બધિર બનોઃ તમે તમારી આસપાસ અણગમતું જોતા હો છો, નાપસંદ સાંભળો છો, ત્યારે કંઈક કહેવાની ઈચ્છા થઈ જાય છે ને? જ્ઞાની પુરુષો કહે છે. આ જગતને જોવા અંગે અંધ બની જાઓ. જગતના ગુણદોષ કહેવામાં મૂક બની જાઓ અને જગતનો બકવાસ સાંભળવામાં બહેરા બની જાઓ. પ્રશ્નઃ સંસારમાં રહીએ છીએ તો કશુંક બોલવું પડે છે, સાંભળવું પડે છે અને જોવું પણ પડે છે. ઉત્તર : ભલે તમે બોલો, સાંભળો અને જુઓ; પણ ઉદાસીનભાવ અખંડ રાખીને! અંદર તીવ્ર રાગદ્વેષ ઉત્પન્ન ન થવા જોઈએ અને વિવેક તો સર્વત્ર જોઈએ જ ! ક્યાં શું બોલવું, કેટલું બોલવું, ક્યાં મૌન રહેવું.... કેટલું સાંભળવું, શું જોવું, શું ન જેવું, કેટલું જોવું.... વગેરેનો વિવેક તો જોઈએ જ ને? જો આ વિવેક નહીં હોય તો તમે સદા પારકી ચિંતાઓ કરતા રહેશો, ક્રોધ, રોષ કરતા રહેશો અને જીવન દુઃખોથી ભરી દેશો. બીજાંની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. ઓછું બોલો, ઓછું સાંભળો, ઓછું જુઓ, તો જ તમારા અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કરી શકશો. ભગવાન ઋષભદેવનો પૌત્ર મરીચિઃ મરીચિ ભરત ચક્રવર્તીના પુત્ર હતા. એમણે ભગવાન ઋષભદેવની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. અગિયાર અંગ (આગમગ્રંથો)નું અધ્યયન કર્યું હતું. એ ગુણવાન હતા, ચારિત્રવાન હતા. ગ્રીષ્મકાળ હતો. ભગવાનની સાથે વિહાર કરી રહ્યા હતા. મધ્યાહુનના સમયે માર્ગો અતિ તપ્ત બન્યા હતા. અગ્નિજ્વાળા જેવા ઉષ્ણ વાયુ માર્ગને અતિ ઉષ્ણ બનાવી રહ્યા હતા. મરીચિનું શરીર મસ્તકથી ચરણો સુધી આર્ટ થઈ ગયું હતું. વસ્ત્રો મલિન હતા. વસ્ત્રોમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી અને અતિશય ગરમીને કારણે એ તૃષાતુર થઈ રહ્યો હતો. એ સમયે એના ચિત્તમાં આર્તધ્યાનની આંધી ઊઠી, હવે હું એક ક્ષણ પણ આ ચારિત્રભારને વહન કરી શકતો નથી. મારે માટે ચારિત્રનું પાલન મુશ્કેલ છે. પરંતુ હુંત્રિભુવનપતિ ભગવાન ઋષભદેવનો પૌત્ર છું અને ભરત ચક્રવર્તીનો પુત્ર છું. મેં મારી ઇચ્છાથી આ મહાવ્રતોનો સ્વીકાર કર્યો છે. એટલા માટે પાછા ઘેર જવું ઉચિત નથી. ઘેર જાઉં તો કુળને મલિનતા લાગે. શું કરું? એક તરફ નદી, તો બીજી બાજુ સિંહ! એટલા માટે મારે કોઈ નવો જ માર્ગ શોધવો પડશે.' મરીચિ નવા જીવનની કલ્પના કરી રહ્યા હતા. હું ત્રિદંડી બનીશ. હવે હું કેશ લંચન નહીં કરું, પરંતુ શસ્ત્રથી મુંડન કરાવીશ. શિખાધારી બનીશ. હું માત્ર સ્થૂળ ૨૯૧ માધ્ય ભાવના
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy