________________
નહીંતર તમે અશાન્ત, ચિંતિત અને ક્ષુબ્ધ બની જશો. તમે તો સદૈવ શિષ્ટ, સહ્રદય, મૈત્રીપૂર્ણ અને નિષ્કપટ રહેવાનો પ્રયત્ન કરો. એવું ન વિચારો કે ‘સર્વ સ્વજનો-મિત્રો વગેરેએ મારી વાતો ધ્યાનથી સાંભળવી જોઈએ.’
ન
હૃદયને નિર્લેપ રાખવું જોઈએ
*
માધ્યસ્થ્ય ભાવનાને હૃદયમાં સ્થિર રાખવી હોય તો તમારે નિર્લેપ રહેવું પડશે. નિર્લેપ રહેવા માટે જ્ઞાનસિદ્ધ બનવું પડશે. જ્ઞાનમિષ્ઠો ન હિપ્પતે । જ્ઞાનસિદ્ધ આત્મા કાજળ સમા આ સંસારમાં રહેતો હોવા છતાં નિરંતર અલિપ્ત રહે છે. જો આત્માને જ્ઞાનરસાયણથી લિપ્ત કરવામાં આવે તો કર્મકાજળ એને સ્પર્શી શકશે નહીં.
જેવી રીતે કમલદળ ઉપર જળબિંદુઓ ટકી શકતાં નથી, જળબિંદુઓથી કમળ ભીંજાતું નથી, એ જ રીતે કર્મકાજળથી જ્ઞાનસિદ્ધ આત્મા લેપાતો નથી. એટલા માટે શીઘ્રાતિશીઘ્ર આત્માને જ્ઞાનસિદ્ધ બનાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ.
સભામાંથી : કયો પ્રયત્ન કરીએ ?
આચાર્યશ્રી : ‘જ્ઞાનસાર’ ગ્રંથમાં બતાવ્યું છે કે -
नाहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि च । नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥
‘હું પુદ્ગલભાવોનો કર્તા, પ્રેરક યા અનુમોદક નથી' એવા વિચારવાળો આત્મજ્ઞાની કેવી રીતે લેપાય ? એટલે કે એ લેપાતો નથી - અલિપ્ત રહે છે.’
નિરંતર પૌદ્ગલિક ભાવમાં અનુરક્ત જીવાત્મા એના રૂપરંગ અને કમનીયતામાં ખોવાઈને પૌદ્ગલિક ભાવ દ્વારા સર્જિત હૃદયવિદા૨ક વ્યથા-વેદના અને નાટકીય યાતનાઓને ભૂલી જાય છે, વિસ્મરણ કરી દે છે. વાસ્તવમાં પૌદ્ગલિક સુખ તો દુઃખ પર આચ્છાદિત ક્ષણજીવી પાતળું પડ છે અને તે કર્મોના આક્રમણ સામે કોઈ પણ રીતે ટકી શકતું નથી. ક્ષણાર્ધમાં એને ચિરાતાં, ફાટતાં વાર લાગતી નથી અને જીવાત્મા લોહીના આંસુ પાડતો કરુણ ક્રંદન કરે છે. પૌદ્ગલિક સુખોનાં સ્વપ્નોમાં ખોવાયેલો જીવાત્મા ભલેને ઐશ્વર્ય અને વિલાસિતામાં ઉન્મત્ત હોય, પરંતુ હલાહલ કરતાં ય વધુ ઘાતક ઐશ્વર્ય અને વિલાસિતાનું ઝેર જ્યારે એના અંગ-પ્રત્યંગમાં વ્યાપ્ત થઈ જાય ત્યારે એનું કરુણ ચંદન સાંભળનાર આ ધરતી પર કોઈ નથી હોતું. એ માથા પછાડી-પછાડીને રડશે છતાંયે તેને શાન્ત કરનાર કોઈ નહીં મળે !
“હું ખાઉં છું, હું કમાઉં છું, હું ભોગોપભોગ કરું છું, હું મકાન બનાવું છું.” આદિ કર્તૃત્વનું અભિમાન જીવાત્માને પુદ્ગલપ્રેમી બનાવે છે. પુદ્ગલપ્રેમી જીવ અનાદિથી
શાન્તસુધારસ : ભાગ ૩
૨૭૪