SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નહોતો. તેમણે મુનિઓને કહ્યુંઃ સંથારો પથરાયો નથી તો પછી કેમ કહો છો કે પથરાઈ ગયો? મુનિઓએ કહ્યું: “ભગવાન મહાવીરે કહ્યું છે કે જે ક્રિયા થતી હોય એને થઈ ગઈ છે એવું વ્યવહારથી કહી શકાય!જમાલિએ વિચાર કર્યો - શ્રમણ ભગવાન મહાવીર કહે છે તેમાળ વડે- એટલે કે જે કરવામાં આવે છે તે કર્યું! એવો સિદ્ધાંત છે તે મિથ્યા છે. કારણ હું પ્રત્યક્ષ જોઉં છું કે જ્યાં સુધી શય્યા કરવામાં આવી રહી છે ત્યાં સુધી તે કરી દીધી છે. તેમાં કેવી રીતે કહી શકાય? આવો વિચાર કરીને તેણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું: “દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર કહે છે -ડેમાળે હે ! પરંતુ એ ખોટું છે, હું કહું છું - વહેં-જે કરવામાં આવ્યું હોય તે જ કર્યું કરવામાં આવ્યું બોલી શકાય.” કેટલાક સાધુઓને જમાલિનો તર્ક સાચો લાગ્યો, એ એમની સાથે રહ્યા અને કેટલાય સ્થવિર મુનિવરોએ એમનો વિરોધ કર્યો. તે બધા જમાલિથી જુદા પડીને ભગવાન મહાવીરની પાસે ચાલ્યા ગયા. જો કે સ્થવિર, વિદ્વાન મુનિવરોએ જમાલિને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. ભગવાન મહાવીરનું માને છે - કથન નિશ્ચયનયની અપેક્ષાથી સત્ય છે. નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને અભિન્ન માને છે. એટલા માટે તાર્કિક દ્રષ્ટિથી ભગવાન મહાવીરનું કથન તદ્દન સત્ય છે. બીજી પણ અનેક દ્રષ્ટિઓથી સ્થવિરોએ જમાલિને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જમાલિ પોતાના મંતવ્ય પર દૃઢ રહ્યો. જમાલિ ભગવાન મહાવીર પાસેઃ કેટલાક સમય પછી રોગમુક્ત બનીને કોષ્ટક ચૈત્યથી વિહાર કરીને જમાલિ ચંપામાં ભગવાન પાસે આવ્યો અને એમની સન્મુખ ઊભો રહીને બોલ્યોઃ “હે દેવાનુપ્રિય ! આપના. ઘણા શિષ્યો છવાવસ્થામાં વિહાર કરી રહ્યા છે, પરંતુ હું છઘસ્થ નથી. હું કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરું છું અને અહનુ-કેવલી સ્વરૂપે વિહાર કરું છું.’ ગૌતમ સ્વામીએ જમાલિને બે પ્રશ્નો પૂછીને એના કેવળજ્ઞાન-દર્શનની પોકળતા સિદ્ધ કરી દીધી. ભગવાને જમાલિને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ જમાલિએ પોતાનો આગ્રહ ન છોડ્યો. એ ત્યાંથી ચાલ્યો ગયો. એના ૫૦૦ સાધુઓમાંથી કેટલાક સાધુઓ અને સાધ્વી પ્રિયદર્શના ૧૦૦૦ સાધ્વીઓમાંથી કેટલીક સાધ્વીઓની સાથે જમાલિના પક્ષમાં ચાલી ગઈ. સાધ્વી પ્રિયદર્શના વિહાર કરતી શ્રાવસ્તી નગરીમાં પહોંચી. | ૨૭૦ શાન્તસુધારસઃ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy