________________
રાજા જિતશત્રુ પોતાના પ્રિય અશ્વના પૂર્વજન્મની કથા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એણે કહ્યું: “ભગવંત ! સાગરદત્તના મિત્ર જિનધર્મ શ્રેષ્ઠીનું શું થયું?”
ભગવાને કહ્યું: “જિનધર્મ શ્રેષ્ઠીને સાગરદાના મંદિરમાં થયેલા અપમાનથી ખૂબ દુઃખ થયું હતું. પરંતુ સાગરદત્ત પોતાની હવેલીમાંથી બહાર આવતો ન હતો, તેથી તે જિનધર્મને મળી શકતો ન હતો.” સાગરદત્ત પ્રત્યે જિનધર્મનો ઉદાસીનભાવઃ
જિનધર્મને જાણવા મળ્યું હતું કે સાગરદત્તની જૈનધર્મ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે વિચલિત થઈ ગઈ હતી. તેણે જિનમંદિરમાં જવાનું છોડી દીધું હતું. તો પણ જિનધર્મ શ્રેષ્ઠીએ સાગરદત્ત પ્રત્યે રોષ ન કર્યો પરંતુ મધ્યસ્થભાવ-ઉપેક્ષાભાવ રાખ્યો. એ સમજતો હતો કે કર્મવશ જીવ કઈ ભૂલ નથી કરતો? બસ, મારે તમને આ જ વાત સમજાવવી છે. મિત્ર પણ ભૂલ કરે છે. એ સમયે એના પ્રત્યે રોષ યા ક્રોધ ન કરવો જોઈએ. એના પ્રત્યે માધ્યચ્ય ભાવના - ઔદાસીજે જ રાખવું જોઈએ.
ભગવંતે કહ્યું: “સાગરદત્તના મૃત્યુ પછી જિનધર્મ શ્રેષ્ઠીને ઘણું જ દુઃખ થયું. ખૂબ જ પસ્તાવો થયો-“મારે ગમે તેમ કરીને સાગરદત્તને મળવું જોઈતું હતું. એની શ્રદ્ધાને દ્રઢ કરવી જોઈતી હતી. એના મનમાં જૈનધર્મ પ્રત્યેની શંકાઓ દૂર કરવી જોઈતી હતી. હું કર્તવ્ય નિભાવી ન શક્યો. મારો એ પરમ મિત્ર મર્યા પછી કઈ ગતિમાં ગયો હશે? એ દુર્ગતિમાં તો નહીં ગયો હોય ને?”
જિનધર્મ શ્રેષ્ઠી વિરક્ત બન્યા. ઉગ્ર તપ કરવા લાગ્યા. પુષ્કળ ધન આપવા લાગ્યા. ધર્મધ્યાનમાં લીન બન્યા. પરમાત્મ ધ્યાન કરવા લાગ્યા. સંસાર-વ્યવહાર છોડી દીધો. એ મરણ પામ્યા. જિનધર્મ શ્રેષ્ઠી જ ભગવાન મુનિસુવતઃ - જિનધર્મનો આત્મા દેવલોકમાં ઉત્પન થયો. દેવલોકનું અસંખ્ય વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરીને સદ્ગતિઓમાં જનમતા રહ્યા. પછી તે પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં ચંપાનગરીમાં જન્મ્યા. રાજકુળમાં જન્મ થયો. તે સુરશ્રેષ્ઠ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજ્ય કર્યું.
એક દિવસ ચંપાના બાહ્ય ઉદ્યાનમાં નંદન” નામના મુનિરાજ પધાર્યા. રાજાએ ઉદ્યાનમાં જઈને મુનિરાજને વંદના કરી. મુનિરાજે ધમપદેશ આપ્યો. રાજાને મુનિરાજનો ઉપદેશ આત્મસ્પર્શી લાગ્યો. એક માસ સુધી રાજા ઉપદેશ સાંભળતો રહ્યો ને વૈરાગી બન્યો. રાજાએ દીક્ષા લીધી. સુરશ્રેષ્ઠ મુનિરાજે વીશ સ્થાનક તપ કર્યું અને એમની અંદર ઉચ્ચતમ કરુણા ભાવના જાગૃત થઈ. “સંસારના તમામ જીવોને મોક્ષમાર્ગના આરાધક બનાવું!મારું ચાલે તો સર્વ જીવોને મોક્ષમાં લઈ જાઉં. | માધ્યચ્ય ભાવના
૨૫]