SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શુભાશુભ કર્મોના ઉદયમાંથી ઉત્પન્ન થયેલી અસંખ્ય વિટંબણાઓ તમારા મનને હલાવી નાખે છે ને? ચૌદ રાજલોકમય વિરાટ સૃષ્ટિમાં થઈ રહેલા જીવોના અવિરત પરિભ્રમણને જાણીને તમારો દેહ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે ને? સંસાર તમને ડરાવનારા ભયંકર દૈત્ય કરતાંય વધારે ભયંકર લાગે છે ને? એટલા માટે કહું છું કે સંસારમાં જાગ્રત રહો. પરમાત્મા વીતરાગ દેવનું શરણું લો. એ પરમ ઉપકારી છે. કરુણાનિધિ છે. તમે એનું ધ્યાન કરો. એમણે કેટલા જીવોને દુખમાંથી મુક્ત કર્યા છે એનો વિચાર કરો. પરમાત્મા પરમ કર્ણાવતઃ. અહીંતહીં ભટકવાની જરૂર નથી. સંસારસાગરમાં પરમાત્મા નૌકાની જેમ છે - જહાજ છે. તે પરમ શરણ્ય છે. તેમણે યથાર્થ તત્ત્વદર્શન કરાવ્યું છે. કેટલો સવાંગસુંદર મોક્ષમાર્ગ બતાવ્યો છે?પરસ્પર વિરોધ રહિત - અવિસંવાદી કેટલી અદૂભુત. ધમપદ્ધતિ બતાવી છે? સ્યાદવાદની કેવી દિવ્યદ્રષ્ટિ પ્રદાન કરી છે? જે કોઈ સમર્પિત મનુષ્ય પ્રભુના કહ્યા પ્રમાણેના માર્ગને અનુસરે, તે આત્માની અપાર સુખસંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આત્માનું નિત્ય અને સ્વાધીન સુખ પ્રાપ્ત કરી લે છે. - તમને લોકોને મેં સમવસરણ ધ્યાનની પ્રક્રિયા બતાવી હતી. તમે પ્રતિદિન એ ધ્યાન કરો. પરમાત્મા સાથે તદાકાર બની જાઓ. અપૂર્વ આનંદની અનુભૂતિ કરો. બસ, ભગવાનનું જ અનુસરણ કરતા રહો. દુઃખ દૂર થઈ જશે. સુખ સામે આવી જશે. श्रुणुतेकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत कृतसुखशतसंधानं, शान्तसुधारसपानम् ॥ ८ ॥ ‘વિનયે (ગ્રંથકાર) જે કહ્યું છે એ અવશ્ય હિતકારી છે. તું એને ધ્યાનથી સાંભળ. વિવિધ સુખોની સાથે અને વિભિન્ન પુછ્યો સાથે જોડનાર શાન્તસુધારસનું અમૃતપાન કર.” સુખ અને પુણ્ય આપનાર શાન્તરસઃ પરમ કર્ણાવંત પરમાત્માની કરુણાના પાત્ર બનવાની જે વાત ગ્રંથકારે કહી છે તે પરમ હિતકારી છે. રાગદ્વેષથી થોડો સમય મુક્ત બનીને આ શાન્ત સુધારસનું શ્રવણ કર. એનાથી તું પુણ્યકર્મનો બંધ તો કરીશ જ, સાથે સાથે વિવિધ સુખોની પ્રાપ્તિ પણ કરીશ. પરમાત્માની કરુણાના પાત્ર બનનાર જીવ પુણ્યશાળી બને જ છે. સુખોનો વૈભવ એને પ્રાપ્ત થાય છે. - હવે કરુણા ભાવનાના વિષયમાં કવિ દીપની એક કાવ્યરચના છે, એ સંભળાવીને આજનું પ્રવચન સમાપ્ત કરીશ. કરુણા ભાવના . ૨૫૭]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy