SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયઃ આ જીવો નરકમાંથી આવેલા હોય છે અને નરકમાં જશે. એમાં અપવાદ પણ હોય છે. ચંડકૌશિક સાપ મરીને દેવલોકમાં ગયો હતો. સંઘયણ અનુસાર નરકઃ ૧. સેવાર્ય સંઘયણવાળો જીવ બીજા નરક સુધી પેદા થાય છે. ૨. કલિકા સંઘયણવાળા જીવ ત્રીજા નરક સુધી પેદા થાય છે. ૩. અર્ધનારા સંઘયણવાળા જીવ ચોથા નરક સુધી ઉત્પન્ન થાય છે. ૪. નારા સંઘયણવાળા જીવ પાંચમા નરક સુધી ઉત્પન્ન થાય છે. પ. ઋષભનારાચવાળા જીવ છઠ્ઠા નરક સુધી ઉત્પન્ન થાય છે. ૬. વજઋષભનારા સંઘયણવાળા જીવ સાતમા નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. નરકમાં સુખ ક્યારે?? આમ તો કહેવામાં આવ્યું છે કે નરકમાં એક ક્ષણ વાર માટે પણ સુખ હોતું નથી. પરંતુ આ સામાન્ય વિધાન છે. પાંચ વાતો એવી છે કે નારકી જીવોને સુખનો ક્ષણિક અનુભવ થાય છે. પ જેમ કે બે મિત્રો છે. એક મિત્ર મરીને દેવલોકમાં દેવ થયો છે અને બીજો મરીને નરકમાં ગયો છે. પૂર્વના સ્નેહથી મિત્ર દેવ નરકમાં ગયેલા પોતાના મિત્રને અવધિજ્ઞાનથી જુએ છે. એનામાં કરુણા ઊભરાય છે અને દૈવીશક્તિથી કેટલોક સમય મિત્ર-નારક જીવની પીડા ઉપશાન્ત કરે છે, ત્યારે એ નારક જીવને કંઈક સુખાનુભૂતિ થાય છે. સુખાનુભવ કરવાનો બીજો પ્રસંગ છે સમ્યક્તની પ્રાપ્તિનો. જેમ અંધ પુરુષને - ચક્ષુપ્રાપ્તિ થતાં સુખ થાય એ રીતે. અરિહંત આદિ પંચ પરમેષ્ઠી આદિના ગુણોની અનુમોદના કરવાથી સુખાનુભવ થાય છે. | તીર્થંકર પરમાત્માનાં પાંચ કલ્યાણક હોય છે, ત્યારે પણ નારકોને સુખ મળે છે. . અને જ્યારે શાતા વેદનીય કર્મનો ઉદય થાય છે ત્યારે સુખ થાય છે. કોણ કઈ નરક સુધી જઈ શકે છે? સાથે સાથે એ પણ જાણી લો કે કયો જીવ કયા નરક સુધી જઈ શકે છે? અસંશી - પર્યાપ્તા તિર્યંચ જીવો પહેલી નરક સુધી જઈ શકે છે. 1 ગર્ભજ ભૂજપરિસર્પ બીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. [ લોકસ્વરૂપ ભાવના
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy