SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષીઓ ત્રીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. # સિંહ ચોથા નરક સુધી. ॥ સર્પ પાંચમી નરક સુધી. ॥ સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને # મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. સારાંશ એ છે કે તિર્યંચ અને મનુષ્ય જ નરકભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારકી નહીં. કારણ એ છે કે એમનામાં એવા અધ્યવસાયોનો અભાવ હોય છે. નારક મરીને પુનઃ તત્કાલ ન તો નરકગતિમાં પેદા થાય છે કે ન તો દેવગતિમાં પેદા થાય છે. તેઓ તિર્યંચ અને મનુષ્યગતિમાં જ પેદા થઈ શકે છે. આગતિ : * પહેલી ત્રણ ભૂમિઓના ના૨ક જીવો મનુષ્યગતિમાં આવીને તીર્થંકર પદ સુદ્ધાં પ્રાપ્ત કરી શકે છે. ચાર ભૂમિઓના નારક જીવો મનુષ્યગતિમાં આવીને નિર્વાણની પ્રાપ્તિ કરી શકે છે. પાંચ ભૂમિઓના નારક જીવો મનુષ્યગતિમાં સંયમ ધારણ કરી શકે છે. છ ભૂમિઓમાંથી નીકળેલા નારક જીવ દેશવિરતિ અને સાતમી ભૂમિમાંથી આવેલો જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. આ ચિંતન-મનનનો વિષય છે. આ ભાવનામાં સંપૂર્ણ વિશ્વદર્શન કરવાનું છે. એ જ્ઞાનવૃષ્ટિથી જ સંભવ છે. એટલા માટે મનોયોગને આ ભાવનામાં જોડીને એકાગ્રતાથી વાંચજો. આજે અધોલોકનું વિવેચન કર્યું છે, કાલે મધ્યલોકનું વિવેચન કરીશું. પછીથી ઊર્ધ્વલોકનું અને પંચમ લોક મોક્ષનું વિવેચન કરશું. આ વિષયમાં વારંવાર ચિંતનમનન કરવાથી ખૂબ જ પ્રમાણમાં કર્મનિર્જરા થાય છે. આત્મભાવ નિર્મળ થાય છે. આજે બસ, આટલું જ. ૧૪ શાન્તસુધારસ : ભાગ ૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy