SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ : અગ્નિની ભઠ્ઠીમાં નાખે છે. : ભાલામાં પરોવે છે. 1 ઘાણીમાં નાખીને પીએ છે. કરવતથી વેરી નાખે છે. v અગ્નિ જેવી રેતી ઉપર ચલાવે છે. n સિંહ, વાઘ જેવાં ભયાનક પ્રાણીઓનાં રૂપ ધારણ કરીને ડરાવે છે. v પરસ્પર લડાવે છે. તલવારની ધાર જેવાં અસિપત્રોના વનમાં ચલાવે છે. હાથ, પગ, કાન, ઓષ્ઠ, આંખ વગેરેનું છેદન કરે છે. પરમાધામી દેવઃ પ્રશ્નઃ કયા જીવો પરમાધામી દેવો બને છે? ઉત્તરઃ પંચાગ્નિ વગેરે અજ્ઞાનપૂર્ણ કષ્ટમય તપ કરનારા મનુષ્યો મરીને અતિ નિર્દય પાપાત્મા પરમાધામી દેવ બને છે. આ પરમાધામી દુઃખી, દીન અને દર્દથી વ્યાકુળ નારકી જીવોને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને અટ્ટહાસ્ય કરે છે. નારકીના જીવોને કુંભી'માં નાખીને પકવવામાં આવે છે ત્યારે અતિ ભયાનક યાતનાથી નારકી જીવ ૫૦૦યોજન સુધી ઊંચે ઊછળે છે અને એ રીતે નીચે પડે છે. પરમાધામી સિંહ વગેરેનાં રૂપો ધારણ કરીને એ નારકોને મૃત્યુની વેદના આપે છે. જીવોની આ પ્રકારની પીડા-કદર્થના જોઈને પરમાધામી અતિ પ્રસન્ન થાય છે. પરમાધામી મરીને “અંડગૌલિક' નામના જળમનુષ્ય બને છે. તેમને તેમના ભક્ષ્યની લાલચ આપીને શિકારી કિનારા પર લાવે છે અને પકડીને યંત્રમાં નાખે છે. યંત્રમાં છ માસ સુધી એને પીલે છે. ઘોર પીડા સહન કરીને છેવટે મરીને તે નરકમાં પેદા થાય છે. નરકમાંથી આવેલા અને નરકમાં જનારા i અતિ ક્રૂર અધ્યવસાય વિચાર)વાળા જીવ. | સર્પ.. . સિંહ આદિ હિંસક પશુઓ. ગીધ જેવાં હિંસક પક્ષીઓ. | જલચર -મગરમચ્છ આદિ. [૧૨ | શાન્તસુધારસ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy