________________
વિક્રિયા ? એમની વિક્રિયા પણ ઉત્તરોત્તર અશુભ હોય છે. તેઓ દુઃખથી ગભરાઈને છૂટવા માટે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ થાય છે ઊલટું. સુખનાં સાધનો એકત્ર કરવામાં તેમને દુઃખનાં સાધનો જ પ્રાપ્ત થાય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી બનાવવા માંડે છે કંઈક શુભ, પરંતુ બની જાય છે અશુભ.
ગતિ, જાતિ, શરીર અને અંગોપાંગ નામકર્મના ઉદયથી નરકગતિમાં વેશ્યા આદિ ભાવ જીવંતપર્યંત અશુભ જ રહે છે. વચ્ચે એક પળનું પણ અંતર નથી પડતું કે કદી તે શુભ નથી બનતાં. વેદનાઓની વિવિધતાઃ
એક તો નરકમાં સ્વભાવથી શરદી-ગરમીનું ભયાનક દુખ છે જ. ભૂખ-તરસનું દુઃખ તો એથીય વધુ ભયંકર છે. ભૂખ એટલી પરેશાની કરે છે કે અગ્નિની જેમ સર્વભક્ષણથી પણ શાન્ત નથી થતી, પરંતુ ઊલટાની વધતી જાય છે. તરસ એટલી લાગે છે કે ગમે તેટલું જળ પીવામાં આવે છતાં ય તૃપ્તિ થતી જ નથી. આનાથીય વધારે ભારે દુઃખ તો પરસ્પરના વેર અને મારઝૂડમાં હોય છે. જેમ કે કાગડા અને ઘુવડનું તથા સાપ-નોળિયાનું જન્મજાત વેર હોય છે, એ જ રીતે નારક જીવ જન્મજાત શત્રુ હોય છે. એટલે તો એકબીજાને જોઈને કૂતરાની માફક અંદરોઅંદર લડે છે, કરડે છે, કાપે છે અને ગુસ્સામાં બળે છે. એટલા માટે તેઓ પરસ્પરજાનિત દુખવાળા કહેવાયા છે. આ નારકોમાં ત્રણ પ્રકારની વેદના હોય છે, જેમાં ક્ષેત્ર-સ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાઓનાં વર્ણન તમે સાંભળ્યાં. ત્રીજી વેદના ઉત્કટ અધર્મજન્ય છે. પ્રથમની બને વેદનાઓ સાતે ભૂમિઓમાં સાધારણ છે. ત્રીજી વેદના માત્ર પહેલી ત્રણ ભૂમિઓમાં હોય છે, કારણ કે એ ભૂમિઓમાં પરમાધાર્મિક અસુરો રહે છે. તેઓ અતિ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની અમ્બ, અમ્બરીષ આદિ ૧૫ જાતો હોય છે. તેઓ સ્વભાવતઃ એટલા નિર્દય અને કુતૂહલવાળા હોય છે કે એમને બીજાંને સતાવવામાં આનંદ આવે છે. એટલે એઓ નારકોને અનેક પ્રકારની પીડા આપીને દુઃખી કરે છે.
કેટલીક વેદનાઓ સાંભળો - i અતિ ઉષ્ણ લોઢાની પૂતળી સાથે આલિંગન અપાવે છે.
અતિ તપ્ત સીસાનો રસ પાય છે. શસ્ત્રોનો ઘા કરીને ઉપર ક્ષાર નાખે છે. i અતિ ઉષ્ણ તેલથી સ્નાન કરાવે છે.
લોકસ્વરૂપ ભાવના |
| ૧૧ |