________________
પ્રત્યેક ભૂમિમાં બબ્બે ઘટતાં સાતમી મહાતમપ્રભા ભૂમિમાં એક જ પ્રતર છે.
આ પ્રતિરોમાં નરક છે. નરકાવાસોની સંખ્યાઃ
પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા (નવ્વાણું હજાર નવસો પંચાણું) અને સાતમીમાં માત્ર પાંચ નરકાવાસ છે.
પ્રશ્ન પ્રસ્તરમાં નરક કહેવાનું પ્રયોજન છે?
ઉત્તરઃ એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ છે એમાં નરક નથી, પરંતુ પ્રત્યેક પ્રસ્તરનો ત્રણ-ત્રણ હજારનો વિસ્તાર છે તેમાં આ વિવિધ સંસ્થાનવાળાં નરક છે. પ્રશ્નઃ નરક અને નારકમાં શું અંતર છે? - શું ફેર છે.?
ઉત્તરઃ નારક જીવ છે અને નરક એમનાં સ્થાન છે. નરક નામક સ્થાનના સંબંધથી જ એ જીવ નારક કહેવાય છે. પહેલી ભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી, એ રીતે સાતમી ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળાં હોય છે. એ રીતે એ નરકોમાં સ્થિત નારકોની લેશ્યા, પરિણામ દેહ, વેદના અને વિક્રિયા પણ ઉત્તરોત્તર અશુભ છે.
લેશ્યાઃ રત્નપ્રભામાં કાપોત વેશ્યા છે. શકરપ્રભામાં પણ કાપોત છે, પરંતુ રત્નપ્રભાથી અધિક તીવ્ર સંક્લેશકારી છે. વાલુકપ્રભામાં કાપોત -નીલ લેગ્યા છે. પકપ્રભામાં નીલ.લેશ્યા છે. ધૂમપ્રભામાં નીલ-કુણ લેશ્યા છે. તમભામાં કૃષ્ણ લેશ્યા છે અને મહાતમપ્રભામાં પણ કૃષ્ણ લેશ્યા છે, પરંતુ તમપ્રભાથી તીવ્રતર છે.
પરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ સંસ્થાન આદિ અનેક પ્રકારના પૌગલિક પરિણામ સાતે નરકભૂમિઓમાં ઉત્તરોત્તર અશુભ છે.
શરીર : સાતે ભૂમિઓના નારકોનાં શરીર અશુભ નામકર્મના ઉદયથી ઉત્તરોત્તર અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ તથા અશુચિપૂર્ણ અને બીભત્સ છે.
વેદના સાતે ભૂમિઓના નારકોની વેદના ઉત્તરોત્તર તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉષ્ણવેદના, ચોથીમાં ઉષ્ણ-શીત, પાંચમીમાં શીતોષ્ણ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હોય છે. આ ઉષ્ણ અને શીતવેદના એટલી તીવ્ર હોય છે કે નાટકજીવ જે મર્યલોકની ભયંકર ગરમી અથવા શીતલતામાં-ઠંડીમાં આવી જાય તો એને મહાસુખની નિદ્રા આવી શકે છે.
[ ૧૦
શાન્ત સુધારણ ભાગ ૩]