SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કમલ વેશ્યાને ત્યાં આ બાજુ કમલ વેશ્યા મંગલાના કોઠા ઉપર પહોંચી ગયો, એને જોઈને પોતાની સધબુધ ભૂલી ગયો. નર્તકી મંગલાનું મુખ અંગરાગથી મંડિત હતું. શરીર સુગંધતરબોળ હતું. એના અધરબિંબફળ જ હતા. ભૃકુટીઓ શિવ ઉપર વિજય સંકલ્પથી ખેંચાયેલી હતી. આ કર્ણ આમ્રની ફાડ જેવી આંખો હતી. ચીનાંશુક જેવા શુભ્ર, મસુમ કપોલોમાં કૂપ બનતા હતા અને હસતાં ચંદ્રિકા જેવી છોળો ઊડતી. મંગલાના શરીર ઉપર ગુલાબી સાડી અને ગુલાબી કંચુકી હતી, એ સાજ છેડાતાં પગમાં બાંધેલા ઘુઘરાઓથી છમછમ કરતી ત્રિભંગી મુદ્રામાં ઊભી હતી. મંગલાની દ્રષ્ટિ કમલ ઉપર પડી, કમળને લાગ્યું કે એની શિરાઓ એનો સાથ છોડી રહી છે અને જો એ ઊભો રહ્યો તો રૂપનો ભાર એને નીચે પાડી નાખશે. એ નમીને એક બાજુ બેસી ગયો. મંગલા હર્ષિત થઈને મલકાઈ અને એણે નૃત્ય શરૂ કરી દીધું. તેણે બાદલનૃત્ય, મયૂરનૃત્ય આદિ વિવિધ પ્રકારનાં નૃત્યો કર્યા. કમલના શરીરમાં મૃદંગની ગૂંજ, થાપ, તાલ, આલાપ અને ઘૂંઘરુંઓના ઝંકારથી તરંગ ઉપર તરંગ ઉત્પન્ન થતા અને ઊતરતા. આ બધામાં રાત વીતી ગઈ. જ્યારે તે ઘેર જવા નીકળ્યો તો મંગલાના ઘરમાંથી બહાર નીકળતાં જ એને સુવર્ણમુદ્રાઓની એક પોટલી મળી. એ ઉપાડીને એ ઘેર લાવ્યો. એણે જ્યારે સવારે જાણ્યું કે વિમલના પગમાં ખીલી વાગી છે અને તે પથારીવશ છે, તો એને જોવા માટે તે નીકળ્યો. સ્વાથ્યના હાલ પૂછીને પછી તેણે કહ્યું: ભાઈ ! તેં મંદિરમાં જઈને આ ફળ મેળવ્યું અને મેં વેશ્યાગૃહમાંથી પાછા ફરતાં આ સુવર્ણમુદ્રાઓ મેળવી.” કમલનો પ્રશ્ન એવો પ્રશ્ન હતો કે જે આજે પણ અનેક મનુષ્યોને ઉલિત કરતો રહ્યો છે. આવા પ્રકારનાં અનેકાનેક ઉદાહરણો સંસારમાં રોજ બનતાં જ રહે છે. જ્યારે સાધુ, સદાચારી વ્યક્તિ કષ્ટ ભોગવે છે અને ચોર લૂંટારા મોજ કરે છે. વિમલે કહ્યું: “ભાઈ! હું શું કરું? આ વાતની સંશયનિવૃત્તિ તો કોઈક મહામુનિમહાયોગી જ કરી શકે છે. આ દિવસોમાં ભર્તુહરિ ગુફામાં એક યોગી -મહાતપસ્વી મુનિરાજ સ્થિરતા કરી રહ્યા છે. આપણે કેટલા દિવસો પછી એમની પાસે જઈશું.' બંને મિત્રો ભર્તુહરિ ગુફામાં : થોડા દિવસો પછી બંને મિત્રો ભર્તુહરિની ગુફામાં પહોંચ્યા. ત્યાં એક શિલા ઉપર મહામુનિ બિરાજમાન હતા. એમના મસ્તક ઉપર કેશની જટા હતી. નિકટથી જોતાં એ મુનિરાજનો ચહેરો દિવ્ય લાગતો હતો. સુવર્ણ જેવા તપેલા ગૌર વર્ણમાં એમનો કંઠ શંખાકાર હતો અને ભવ્ય મુખ ઉપર મોટામોટા કટોરા જેવા નેત્રોમાં કરુણાનું જળ ભરેલું હતું. મુનિની નાસિકા પોપટ જેવી હતી. અધરોનો વળાંક કલાત્મક હતો. આ ક્ષણે તેઓ ચિંતનની મુદ્રામાં હતા. કરુણા ભાવના ૨૫૫ |
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy