SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ થોડેક દૂર જતાં કમલ અને વિમલ એક ગલીમાં પ્રવેશ્યા. ત્યાં વેશ્યાઓનાં ઘર હતાં. જ્યાં મીઠી મીઠી સુગંધ અને વીણા-મૃદંગના મધુર સ્વર સાથે નૃત્યાંગનાઓના નાચગાન સાથેનો ઉત્તેજક ગીતનાદ સંભળાતો હતો. કમલનું મન એ વિલાસમયી વિથિકામાં મનોરંજનાર્થે રોકાવા અધીરું બન્યું. એનાં કદમ આગળ વધી ન શક્યાં. તેણે વિમલને કહ્યું: “એક જ વાર, પણ આપણે બંને વેશ્યાને ત્યાં જઈએ.” કમલની વાત સાંભળીને વિમલ સ્તબ્ધ થઈ ગયો. એણે આશ્ચર્યથી કહ્યું “આજ તું આવી વિચિત્ર વાતો કેવી રીતે કરે છે? આ નીચ કામ સિવાય, તું કહે તે હું કરી શકે પરંતુ આ દુર્ગતિના દ્વારમાં પ્રવિષ્ટ થવું મને સર્વથા નાપસંદ છે. વિલાસિતા અને કામુક ઉખલતાને ભડકાવનારી વેશ્યાને ઘેર જવાથી કફમાં ફસાયેલી માખીની જેમ સ્વચ્છ રહેવું અતિ કઠિન છે.” કમલે કહ્યું: “મારા માટે જો તને પ્રેમ હોય તો એક વાર અવશ્ય વેશ્યાને ત્યાં આવવું પડશે. નહીંતર આજથી જ સંબંધ વિચ્છેદ!' વિમલે કહ્યું “આજે નહીં કાલે જઈશું.' કહીને વાત ટાળી દીધી. બીજે દિવસે બંને મિત્રો પાન-ફૂલ, મિષ્ટાન્ન આદિ આહાર લઈને સાથે જ નીકળી પડ્યા. માર્ગમાં અવંતીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર આવ્યું. ભક્તજનોએ એ મંદિરને અને મૂર્તિને સજાવ્યાં હતાં. રંગમંડપ દિપકોના પ્રકાશથી ઝળહળી રહ્યો હતો, જાણે કે દીપાવલીનું મહાપર્વ આવ્યું ન હોય ! વીણા, વેણુ, મૃદંગો પર તાલ અને ઠેકા આપવામાં આવતા હતા. ભક્તજનો આવી ચાવીને પોતાને સ્થાને ગોઠવાઈ જતાં હતાં. અહીં આજે રાત્રિજાગરણનો સમારોહ હતો. વિમલનું સત્સંગપ્રિય માનસ દેરાસરના સાત્વિક વાતાવરણ પ્રત્યે સહજ આકર્ષિત થયું. એણે કહ્યું: 'મિત્ર, આજે તો મંદિરમાં બેસીએ. વેશ્યાને ત્યાં કાલે જઈશું.’ કમલે કહ્યું: “મારે તો આજે જ વેશ્યાને ત્યાં જવું છે.' વિમલે ધીરે ધીરે પોતાનો હાથ છોડાવતાં કહ્યું “જેવી તારી મરજી, હું તો મંદિરે જાઉં છું.' વિમલ મંદિરમાં ગયો. એણે ફલ-ફૂલ, મિષ્ટાન આદિ મંદિરમાં ચડાવ્યાં અને ભક્તિભાવથી બેસી ગયો. ત્યાં કલાકો સુધી ભક્તિભાવના ચાલતી રહી. વિમલ એમાં લીન થતો ગયો. હવે થોડીક જ રાત્રિ બાકી રહી તો તે ઊઠીને પોતાને ઘેર જવા માટે મંદિરની બહાર નીકળ્યો. સીડી ઉપરથી ઊતરતાં જ એના પગમાં એક ખીલી ભોંકાઈ ગઈ, અસહ્ય પીડાથી તે નીચે પડી ગયો. ત્યાં ઉપસ્થિત લોકોએ એને ઉપાડીને ઘેર પહોંચાડ્યો. કુશળ વૈદ્યરાજને બોલાવી તેની ખીલી કઢાવી. તે પથારીમાં પડીને વેદના ભોગવતો રહ્યો, પરંતુ એનું મન સમતાભાવમાં હતું. મારા કોઈ પાપકર્મોના ઉદયને લીધે આ દુખ આવ્યું છે. એવું એ સમજતો હતો. ૨૫૪ શાન્ત સુધારસ : ભાગ ૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy